SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આપેલ છે અને ત્યારપછીના પરિશિષ્ટોમાં પ્રાકૃતિકાવ્યના પઘોનો અકારાદિક્રમ તથા ઉદ્ધરણ, વિશે ષનામો વગેરેનો અકારાદિક્રમ આપવામાં આવેલ છે. આ રીતે પાંચ ભાષાઓથી સમૃદ્ધ અને પરિશિષ્ટોથી સુશોભિત આ ગ્રંથનું નવીન-સંસ્કરણ તૈયાર કરવામાં આવેલ છે. ઉપકારસ્મરણ - પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજસાહેબના પ્રેરક પરિબળને ઝીલીને આ નવીનસંસ્કરણ તૈયાર કરવામાં હું તો માત્ર નિમિત્તરૂપ છું. પૂર્વના સંપાદકોએ હસ્તપ્રતો ઉપરથી અતિશ્રમસાધ્ય કાર્ય કરીને અનેક પ્રતોના પાઠભેદો અને સંસ્કૃતછાયા વગેરે સાથે પ્રકાશનો સંપાદિત કરીને પ્રકાશિત કરેલા છે તેમના ફાળે આ કાર્યનું સર્વ શ્રેય આભારી છે. આ નવીનસંસ્કરણના લાભાર્થી માટે પરમપૂજય સરળસ્વભાવી પ્રવર્તિની રોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના મારા લઘુગુરુભગિની પરમતપસ્વી ૧૦૦૮ અઠ્ઠમતપની ભાવનાથી હાલ પર૧ અઠ્ઠમતપના આરાધિકા સાધ્વી શ્રીનિર્મળ ગુણાશ્રીજીમહારાજ અને એમના વિવેયરત્ના સાધ્વી અક્ષિતગુણાશ્રીજીમહારાજના સદુપદેશથી પોરવાલ આરાધનાભવન - ભિવંડી જૈનસંઘે તથા ઉમરા શ્રાવિકા સુરત જૈનસંઘે લાભ લીધેલ છે. આ રીતે પૂર્વના પ્રકાશકોનો, સંપાદકશ્રીનો કોબા જ્ઞાનમંદિર સંસ્થાનો, પરમપૂજ્ય પંન્યાસજી મહારાજનો, ગુજરાતી - હિંદીભાવાનુવાદકારનો કૃતજ્ઞભાવે ઉપકાર સ્મરણ કરું છું. કુષ્માપુન્નચરિઅમના આ નવીનસંસ્કરણનું કાર્ય જે બે મુદ્રિત પુસ્તકોના આધારે કરેલ છે, તેમાં રહી ગયેલી અશુદ્ધિઓનું બંને પુસ્તકોમાં પાઠ મેળવીને શુદ્ધિકરણ કરવા યથાશક્ય પ્રયત્ન કરેલ છે, આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગથી રહી ગયેલી ક્ષતિઓનું વાચકવર્ગ પરિમાર્જન કરી વાંચન કરે અને જે કોઈ ક્ષતિઓ રહી ગઈ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002556
Book TitleSirikummaputtachariam
Original Sutra AuthorJinmanikyavijay
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages194
LanguageSanskrit, Hindi, Gujarati, English
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy