________________
૧
૧
પૂજય સાધ્વી ચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ પૂજય પંન્યાસજી મહારાજના પ્રેરક પરિબળને ઝીલીને ભાવધર્મના પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું આ પ્રાકૃત ચરિત્ર ચરિત્ર સંપાદિત કરીને પ્રકાશિત કરવાનો અમારી સંસ્થાને જે લાભ આપ્યો છે, તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.
જૈન વિવિધ સાહિત્યશાસ્ત્રમાલાથી – પં. હરગોવિંદદાસ દ્વારા સંશોધિત-સંપાદિત મુદ્રિત પુસ્તક તથા ગુજરાત કૉલેજથી પ્રો. કે. વી. અત્યંકર દ્વારા સંપાદિત મુદ્રિત પુસ્તક આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબાથી અમને મળેલ છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ, તેમજ આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના સંપાદકોનો, પ્રકાશકોનો, તે તે સંસ્થાઓનો અને નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો અને સંપાદિકાશ્રીનો પં. અમૃતભાઈ પટેલનો, અંગ્રેજી પૂરવાચન કરી જરૂરી શુદ્ધિકરણ કરી આપનાર અશ્વિનભાઈ શાહનો તથા આ કાર્યના અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાનો અને મુદ્રણકાર્ય માટે તેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
ગૃહસ્થજીવનમાં જ ભાવધર્મની ભાવના ભાવતાં ભાવતાં પ્રત્યેકબુદ્ધ કેવલી બનનારા કૂર્માપુત્રના ચરિતમાંથી વિશિષ્ટ સાર ગ્રહણ કરી ભાવધર્મની ધારામાં આરૂઢ બની ક્ષપકશ્રેણિ માંડી સૌ કોઈ ભવ્યજીવો મુક્તિસુખને પ્રાપ્ત કરીએ એ જ શુભભાવના !!
- ભદ્રંકર પ્રકાશન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org