SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ४ મહારાજે યોગશાસ્ત્ર આદિ ગ્રંથોની રચના કરી. આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ પાસેથી અહિંસાના પાઠો શીખનાર રાજા કુમારપાળે સત્તા મળતા જ અહિંસાનો પ્રચાર થાય તેવા કૃત્યો કરવામાં જરાય પાછી પાની ન કરી. સમગ્ર શાસનમાં અમારીની ઘોષણા કરી. ગુજરાતની પ્રજામાં અહિંસાના બીજ રોપ્યા. આ કારણે ગુજરાતમાં અહિંસાના મૂળીયા વધુ ને વધુ ઊંડા ઊતર્યા. જેના કારણે આજે પણ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ધરતી અહિંસા માટે વિખ્યાત છે. આ ઉપરાંત રાજા કુમારપાળે જૈનધર્મનો અંગીકાર કરી જીવનને ધન્ય બનાવ્યું અને પરમાર્હત ઉપાધિ પ્રાપ્ત કરી. સાતેય ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્યો કરી ગુજરાતની ધરતીને ધન્ય બનાવી. તેમના કાર્યોની નોંધ ઇતિહાસે તો લીધી જ છે, સાથે સાથે તે સમયના આચાર્યોએ તથા સાધુઓએ પણ લીધી છે. આ તેમના ગુણોની મહત્તા સ્થાપિત કરે છે. તત્કાલીન આચાર્યો અને ત્યારબાદના વિદ્વાનોએ રાજા કુમારપાળના ચરિત્રને વર્ણવતા ગ્રંથો લખ્યા. તેમના કાર્યોની અનુમોદના કરી છે. આવા વિશિષ્ટ ચરિત્રના ધારક કુમારપાળના ચરિત્રોનો સંગ્રહ વર્ષો પૂર્વે સીંઘી જૈનગ્રંથમાળા દ્વારા મુનિશ્રી જિનવિજયજીએ પ્રકાશિત કર્યો હતો. પરંતુ તે સંગ્રહ વર્તમાનમાં અપ્રાપ્ય છે, તેથી તેના પુનઃ પ્રકાશનની યોજના વિચારવામાં આવી. સંસ્થા દ્વારા આ સંગ્રહ ઉપલબ્ધ કરાવવામાં આવે તો અનેક જિજ્ઞાસુઓને લાભ થાય તેવી શુભભાવનાથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું. ગ્રંથના પ્રકાશનનું કાર્ય હાથ ધરતાં જ જણાયું કે જ્યારે ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો હતો ત્યારે મુનિશ્રી જિનવિજયજીને અન્ય હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી, પરંતુ પ્રકાશન કાર્ય છેલ્લા તબક્કામાં હતું તેથી નવી હસ્તપ્રતોના પાઠો સંપાદિત ગ્રંથમાં સમાવિષ્ટ કરવા સરળ ન હતું. તે યુગમાં એક એક ફરમો છપાતો જાય અને ગ્રંથ તૈયાર થથો જાય. આવી પરિસ્થિતિમાં તેમણે હસ્તપ્રતોના પાઠાન્તરો ગ્રંથના પરિશિષ્ટમાં પાછળ છાપ્યા હતા. આ પાઠોને આધારે મૂળગ્રંથને પુનઃ સંપાદન કરવું તે એક મોટું કાર્ય હતું. નવું રાંધવું સરળ હોય છે પરંતુ રાંધેલાને રાંધવું અઘરું હોય છે. આ કાર્ય કષ્ટ સાધ્ય હતું. આ અંગે વિદુષી સાધ્વીશ્રી ચંદનબાળાશ્રીજી મહારાજ સાથે વાત થઈ, તેમણે આ કાર્યમાં સહયોગ આપવાની ભાવના દર્શાવી. મારું કાર્ય સરળ થતું જણાયું. પૂ. સાધ્વીજીની તબિયત નાજુક હોવા છતાં રાતદિવસ જોયા વગર શરીરની અવગણના કરીને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy