SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ આચાર્યભગવંત શ્રી રુદ્રપલ્લીયગચ્છના પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીસંઘતિલકસૂરિ મહારાજાના શિષ્ય છે. વિક્રમના ચૌદમા શતકના અંતિમકાળમાં આ ચરિત્રની રચના થયેલી છે. વિ. સં. ૧૫૧૨માં લખેલી પ્રાચીન અને આદર્શભૂત પ્રતિમા આધાર પર મુનિ જિનવિજયજીએ આનું સંપાદન કરેલ છે, અને પ્રત્યંતરના રૂપમાં એક બીજી પ્રતિનો પણ ઉપયોગ કર્યો છે તે પૂજ્ય મુ. શ્રીપુણ્યવિજયજીમહારાજની કૃપાથી પ્રાપ્ત થયેલી છે તે પ્રતિ પણ પ્રાચીન અને શુદ્ધપ્રાયઃ છે. આ ચરિત્રમાં જે પાઠભેદ નોંધ્યા છે તેમાં પ્રથમપ્રતિની A સંજ્ઞા રાખેલ છે અને પૂ. મુ. પુણ્યવિજય મહારાજ દ્વારા પ્રાપ્ત પ્રતિની B સંજ્ઞા રાખેલ છે તથા પાછળથી એક ભાવનગર આત્માનંદસભાની પ્રતિ તેમને પ્રાપ્ત થઈ છે તેમાંથી પાઠભેદ અને શુદ્ધપાઠ પાછળ પરિશિષ્ટમાં શુદ્ધિ-વૃદ્ધિપત્રક આપેલું છે તેમાં નોંધ્યા છે. અમે આ દ્વિતીયાવૃત્તિમાં તે પ્રતિની C સંજ્ઞા રાખી ગ્રંથમાં નીચે ટિપ્પણીમાં A-B પ્રતના પાઠભેદ આપ્યા છે તેમાં C પ્રતના પણ પાઠભેદ આપ્યા છે અને મૂળમાં તદ્દન અશુદ્ધ પાઠ હોય ત્યાં અમુક સ્થાને શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં પાછળથી મળેલ પ્રતિઓમાંથી શુદ્ધપાઠ આપેલ છે તે શુદ્ધપાઠ લીધેલ છે. ११ આ ચરિત્ર પણ બીજા બીજા ચરિત્રોની અપેક્ષાએ સંક્ષિપ્ત છે. આ ચિરત્રના કુલ ૭૪૦ શ્લોક છે. પ્રારંભના ર∞ શ્લોકોમાં તો તે જ કુમારપાળનું રાજ્યપ્રાપ્તિ પૂર્વેનું જીવનવર્ણન છે અને તે ઉપર્યુક્ત પહેલાં સંક્ષિપ્ત ચરિત્રમાં વર્ણિત છે, તે જ શબ્દોમાં લીધું છે. ત્યારપછીના ૫૦૦ શ્લોકોમાં મહારાજા કુમારપાળના રાજજીવનનું વર્ણન છે અને તેમાં પ્રાયઃ મુખ્ય મુખ્ય પ્રબંધોનો સાર આપ્યો છે જે પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ અને પ્રબંધકોષ આદિ ગ્રંથોમાં ઉપલબ્ધ છે. આ સિવાય બિલ્કુલ નવી પણ કોઈ કોઈ વાત આ ચરિત્રમાં આવે છે. દા.ત. પૃષ્ઠ ૬૮ થી ૭૦ ઉ૫૨ શ્લોક ૬૧૨ થી ૬૩૩ સુધી નાગપુરના મહામાંડલિક કુમારની સાથે કુમારપાળરાજાના યુદ્ધનો ઉલ્લેખ છે તે અન્ય કોઈ પ્રબંધમાં જોવામાં આવતો નથી. સમુચ્ચયરૂપથી આ ચરિત્ર પણ વ્યવસ્થિત અને તથ્યપૂર્ણ છે. આ ચરિત્રનું વર્ણન ક્રમબદ્ધ હોવાથી થોડામાં કુમારપાળરાજાના જીવનનો ઘણો પરિચય આપે છે. જાણી શકાય છે કે, આની સંકલના મુખ્ય કરીને આના પછી જે ત્રીજા નંબરની કૃતિ કુમારપાલપ્રબોધપ્રબંધ છે એના આધારે કરેલી છે. કેમ કે આ ચરિત્રના અંતના શ્લોકમાં ચરિત્રકારે સ્પષ્ટ લખ્યું છે કે, અમે ગુર્જરનરેશ કુમારપાળનું આ ચરિત્ર સંક્ષેપમાં લખ્યું છે. જેમને વિશેષ સ્વરૂપે જાણવાની ઇચ્છા હોય તેમણે કુમારપાલપ્રતિબોધકનામક ગ્રંથથી જાણવું. આનાથી એ સૂચિત થાય છે કે આ 3. इति सङ्क्षेपतः प्रोक्तं चरित्रं गूर्जरेशितुः । कुमारपालप्रतिबोधशास्त्राद् सेयं विशेषतः || Jain Education International आ. सोमतिलकसूरिविरचित श्रीकुमारपालदेवचरिते श्लो. ७४० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy