SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સમયસુધી અશાતાના ઉદયમાં પણ સમતાસાધક હતા. તેની અનુભૂતિ ઇ.સં. ૧૯૯૮ ચે.વદ ૦ાાની રાત્રે ૧૦ વાગ્યા પછી જે દુ:ખાવો ઉપડ્યો તે જીવલેણ જણાતો હતો. વૈ.સુ. ૧ને સવારે ૩ વાગે અસ્વસ્થતા ઉભી થતાં ડોક્ટરી તપાસ કરાવી આરામ કરવાની સૂચના છતાં સવારે પૂ. પ્રવર્તિની શ્રીજીને બોલાવ્યા. તેઓ પધાર્યા ને કહેવા લાગ્યા. સાહેબજી ! અખાત્રીજનાં ત્રણ સાધ્વીજીને વર્ષીતપના પારણા છે તે આપ કરાવશોને ? આ સંકેત કોઇ સમજી શક્યા નહીં. સમસ્ત ક્રિયા વગેરે સ્વસ્થતાપૂર્વક કરી. સાધ્વીજીઓને યાત્રા કરવા મોકલ્યા. ૭ વાગે નવકારશી કરી જરા વાપરી જાતે જ મુઠ્ઠસી પચ્ચકખાણ કરી લીધુ, ૧૦ વાગ્યે શ્વાસ વધ્યો. આશ્રિતવર્ગ ગભરાઇ ગયો. પોતાની જાતે ઊઠી સંથારો સિદ્ધગિરિ સન્મુખ લેવડાવ્યો. “અરિહંતની ધૂન” ચાલી, જાણે સિદ્ધગિરિની પાવનભૂમિ-શ્રી આદિદેવની પવિત્રછાયા, પૂ.આ.ભ. શ્રેયાંસપ્રભસૂરિ ગુરુ ભગવંતની હાજરીમાં નવકાર સ્મરણ પૂર્વક પરલોક પ્રયાણ કરવા જીવાત્મા સંચર્યો. “સમાધિમય મૃત્યુ મળે તો મને મળજો” એમ બોલતા તે સાચું કર્યું. અંતમાં ગુરુદેવ ! આપ જ્યાં હો ત્યાં બોધી પામી ! અમારા ઉપર કૃપા કરી, અમ સુકાની બન્યા છો તો અમને સંયમમાં સ્થિરતા કરાવી શુદ્ધ સંયમની આરાધના કરીએ તેવું બળ આપશોજી. સા. શ્રી કિરણરેખાશ્રીજી, સા. શ્રી ચંદ્રરત્નાશ્રીજી તથા સા. મહાજ્યોતિશ્રીજી
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy