SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હતી-વળી પોતાનો ક્ષયોપશમ સારો હોય, ૩ | ચોપડી ભણેલી હીરાએ પાંચપ્રતિક્રમણનો અભ્યાસ કરી લીધો. સખીવૃંદ પણ ધર્મભાવનાવાળું. તેમજ સાવરકુંડલા ભક્તિભાવયુક્ત સાધુ-સાધ્વીજીનું વિહારનું ક્ષેત્ર હતું. એટલે અવારનવાર જિનવાણી સુણવા મળતી. એકવાર ચૈત્રી ઓળીમાં સરખી સહિયરો સાથે ઓળીની આરાધના કરતી. વર્ણ પ્રમાણે વસ્ત્ર પરિધાન કરતી હિરાએ સાધુપદના દિવસે શ્વેતવસ્ત્રો ધારણ કર્યા. અને સખીઓ કહેવા લાગી, શું હીરાબેન તમે સંમય લેવાના છો ? આ તો રમત હતી પણ હીરા કહેતી કે, “હાં લેવા જેવું તો એ જ છે ને ?” ભાવિમાં હશે તો જરૂર લઇશ. પછી તો વાયરે વાત ફેલાણી પેલી હીરા દીક્ષા લેવાની છે. જ નથી કોઇનો પરિચય-સત્સંગ કે કાંઇ ઉડુંજ્ઞાન છતા પૂર્વભવના સંસ્કારો તો કામ કરે ને ? અને એકવાર સમાજ તરફથી ચૈત્રી ઓળીનું આયોજન પૂ.ઉપા. શ્રી ધર્મવિજયજી મહારાજા તથા પૂ. મુક્તિચંદ્ર વિ.મ.સા. ની નિશ્રા અને સંસારી મામા શેઠ મણિલાલ વનમાળી પણ કલકત્તાથી આવેલા. તેમણે પણ હીરાની દીક્ષાની વાત જાણી પૂછ્યું કે, “હીરા ! તારે દીક્ષા લેવાની છે ?” હીરાએ કહ્યું, હા મામા ! પણ મને કોઇ ગુરૂનો પરિચય નથી તથા ધાર્મિક અભ્યાસ પણ નથી. ત્યારે મામા બોલ્યા, “તેમાં તારે કાંઇ વિચારવાનું નથી. પૂ.પં.મ. કનકવિજયજી મ. ના બેન સાધ્વીજી પૂ. દર્શનાશ્રીજી મ.સા. છે તે જ્ઞાની-ધ્યાન-ત્યાગી-વૈરાગી છે. ચાલ તૈયાર થઇ જા ! અને ભાવિના ભીતરમાં સંસાર ત્યાગ જ હશે એટલે સ્વજનોએ હર્ષ પૂર્વક રજા આપી. અને વિ.સં. ૨૦૦૭ની રઢીયાળી સાલને વૈશાખ સુદ ૫ નો દિન મહાભિનિષ્ક્રમણનો નક્કી થતાં, ગામમાં પ્રથમ જ દીક્ષા થતી હોય, ખૂબજ ઠાઠમાઠથી મહામહોત્સવપૂર્વક, પૂ.ઉપા. શ્રી ધર્મવિજયજી મ.સા. ના વરદહસ્તે પ્રવજ્યા થઇ. હીરાનામમાંથી પૂ.સા. શ્રી દર્શનશ્રીજી મ.સા. ના શિષ્યા સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી નામ ધારણ કર્યું. કેવો છે તે કાળ કે વિના પરિચયે દીક્ષા થઇ ! અને દીક્ષા લેનાર પણ વડીલના વચન ઉપર વિશ્વાસી ? સંયમની સ્વીકૃતિ પછી એમનો ગુણ એકજ હતો કે ગુરુ મ.સા. જે કહે તે કરવું. તેથી સંયમી જીવનમાં ઉત્તમ ગુણો પામી શક્યા અને પમાડી શક્યા. ક્ષયોપશમાનુસારે સૂત્રાર્થનું તલસ્પર્શી જ્ઞાન-અનુભવજ્ઞાન-સંસ્કૃતાદિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથે સુસ્વર નામ કર્મના ઉદયથી કંઠ પણ ખૂબ સુંદર, જેના સ્તવન-સન્ઝાય સાંભળી ભાવિક વર્ગ મંત્રમુગ્ધ બની જતો. કવિકલયિત્રીની ઉપમા પણ છાજે તેમ નૂતન કાવ્યરચના કરવાની શક્તિ પણ અનુપમ કોટિની હતી. સંયમની સાધનામાં પૂ. વિશાળ ગચ્છાધિપતિ કલિકાલકલ્પતરુ સ્વ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિ મહારાજાના પ્રકૃષ્ટ પ્રવચનો અને પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના મધૂર પ્રવચનોથી જ્ઞાનગંગામાં સ્નાતક બન્યા. જેના કારણે વક્નત્વ શક્તિ ખીલી, સાથે નીડરતા હતી. વ્યાખ્યાનાદિ બેનોમાં કરતા તેમાં જિનવાણીનો ટંકાર હતો. તો સન્માર્ગનો રણકાર હતો. તેઓમાં સ્વાધ્યાયની મસ્તી સાથે અપ્રમત્તદશા હતી. આશ્રિતોને સાયણા-વાયણા ચોયણા-પડિચોયણા દ્વારા ઘડતર કરતા હતા. જ્યાં જ્યાં ચાતુર્માસ વિતાવ્યા ત્યાં ગુણની સુવાસ મૂકતા ગયા.
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy