SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂલ ખર્યું ફોમ Oાર્ય.) ઉપવનમાં ખીલતા પુષ્પોની આ વાત નથી પણ મર્યલોકમાં, આર્યભૂમિમાં, જિનશાસનને વરેલા જૈનકુળરૂપી ઉપવનમાં ખીલેલા આ ફૂલડાની વાત છે. કેમકે આ ફૂલ બાગ-બગીચામાં ઊગતા ફૂલડાથી ન્યારું છે. ઉપવનમાં ઘણાં પુષ્પો ખીલે, મૂરઝાઈ જાય. વળી કેટલાક શોભાધારી તો કેટલાક કામિનીને મસ્તકે શોભતા આ બધા પુષ્પોની કોઇ કિંમત નથી. પ્રાત:કાલે ખીલી સંધ્યા સમયે મૂરઝાઈ જાય. and out of date થતાં ઉકરડામાં ફેંકાઇ જાય. પણ અહીં જે પુષ્યની વાત કરવાની છે તેની પરિમલ ચોગરદમ ફેલાયેલી છે. અને એ અનુપમકોટિનું પુષ્પ એટલે જ સંયમ ઉપવનમાં ફોરમ ફેલાવી ગયેલું ગુણવાન પુષ્ય. એટલે જ પૂ.સા. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. ની ગુણસ્મૃતિ. - જેમના જીવનમાં વ્યાપીગુણોની ઉત્તમતા વર્ણવવા મારા જેવા બાળ જીવને શક્તિ તો ક્યાંથી હોય ? પણ ગુણાનુરાગથી ગુણસ્મૃતિના માધ્યમે આલેખન કરવાનો પ્રારંભ કરું છું. અનંતક્ષિતિજમય-સંસારની ધરતી ઉપર આર્યદેશમાં મનખાના અવતારની પ્રાપ્તિની દુર્લભતાની વાતો શાસ્ત્રમાં જ્ઞાનીઓએ પાને પાને કંડારેલી છે. કેમકે જન્મ-મરણની શૃંખલાને તોડવા, મુક્તિરામણીને વરવા, વિરતિના કંત બનવાની અણમોલ તક અને સાધના કરવાની ભૂમિકાના મંડાણ આ અવતારમાં સંભવે છે. સાયંકાળે કરમાયેલું પુષ્પ . પ્રાતઃકાળે નવપલ્લવીત બને, અમાસની ઘોર અંધારી રાત પછી બીજની શુભ્ર જ્યોત્સના નભને અજવાળે, પાનખર પછી વસંતનું આગમન. પણ મનખાનો અવતાર ફરી ફરી મળતો નથી. ઉષારાણીની લાલરંગી વિજયપતાકા દૂર દૂરની ગિરિમાલા ઉપર ફરફરે છે. પંખીઓનો મીઠો કલરવ વ્યોમમાં ફેલાઇ રહ્યો છે તેવી કોઇ ધન્યપળે મહુવા નિવાસી શ્રેષ્ઠીવર્ય દીપચંદ-મુળચંદના ધર્મપત્ની હરકોરબેનની કુક્ષિએ વિ.સં. ૧૯૮૯ ના મહા સુદ-૧૪ ની પુન્યપળે કરાંચી-પાકિસ્તાનમાં એક બાળકીએ જન્મ લીધો. હીરાની જેમ હીરા બેન ઝળહળવા લાગ્યા. સંસારી પિતાશ્રી વ્યવસાયાર્થે કરાંચી ગયેલા, મુસ્લીમ વસ્તી છતાં ગુજરાતી-કાઠીયાવાડી કચ્છી જેનો વસતા. સુંદર પાર્શ્વનાથ પ્રભુનું જિનમંદિર-પાઠશાળા-આયંબિલશાળા હતી. જ્યાં આરાધક વર્ગ પ્રભુપૂજા આદિ આરાધનામાં મસ્ત હતો. ત્યાં સુદેવનો યોગ જરૂર હતો પણ સુગુરુનો યોગ નહોતો. તેથી દેશમાં (=ભારતમાં)આવતાં લોકો જિનવાણી સાંભળી આવતા, તેઓ અહીં ભાવિક ભક્તોને સંભળાવતાં અને ધર્મ સન્મુખ લોકોને બનાવતા દીપચંદભાઇ ધર્માત્મા હતા. તેમને સંતતિમાં ૫ પુત્ર અને ૩ પુત્રી હતી. તેમાં હીરાબેન પાંચમા નંબરે હતા. જ્યારે લઘુભગિની જયાબેન ૮ મા નંબરે હતા. અંકશાસ્ત્રની દષ્ટિએ જોતા બંને આત્મા કર્મભૂમિમાં સાધક બનવા જાણે અવતર્યા હતા. ૫ અને ૮ નો આંકડો મુક્તિમાર્ગના પથિક બની પંચમીગતિ કે અષ્ટમીગતિ પામવાનું સૂચન કરતો હતો. ધર્મમય જીવન પસાર કરતાં સમયના વહેણની સાથે વિ.સં. ૧૯૪૮ની શાલ હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડતા જૈનો હિજરત કરી સ્વદેશમાં આવ્યા. તેમ દીપચંદભાઇનો પરિવાર પણ સાવરકુંડલા મોસળગામે આવ્યો. ત્યારે હીરાબેન ૧૩/૧૪ વર્ષના હતા. પણ હીરાને અહીં ગમતું ન હોતું અને કરાંચીની યાદ રાતદિવસ આવતી હતી. પણ સંસ્કારી મા-બાપના ધર્મસંસ્કારથી રોજ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણાદિ કરતા. પાઠશાળા > * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy