SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાની મસ્તી સદેવ દેખાતી. ગંભીરતા તો મેરુ મહીધર સમ હતી. કષાયત્રી હતા. મૌન જેમની પરિભાષા હતી. મધુર અને હિતકારી મિત વચની હતા. વચન સિદ્ધિ જેમને વરેલી હતી. પરમલઘુતા પ્રેમી હતા. - સ્વાધ્યાય મગ્નતા ગજબકોટિની હતી. બુજર્ગવયે પણ નવી જુની ગાથાઓ ગોખતા જોઇને પ્રમાદીના પ્રમાદ ખંખેરાઇ જતા. વિકથાથી વિમુખ હતા. સૌમ્યતાની ચાંદની સમ પૂજ્યશ્રીની મુખમુદ્રા શોભતી હતી. અપ્રમત્તભાવની બંસરીના નાદે અણગારી કે આગારી સર્વે મુગ્ધ બની જતા, અને આત્મકલ્યાણના સંગીતના સૂરોનું પારાયણ કરી જતા. શાસનરસિક બનતા. જંઘાબળ ક્ષીણ થવા છતાં. ક્યારેય સંયમની મર્યાદાલોપક સાધનનો ઉપયોગ નહીં, પણ પુન્યાનુબંધી પુન્યના સ્વામીનીના પુન્યની જવલંતતાના દર્શન એટલે જ શિષ્યાદિ પરિવાર દ્વારા ૫૦૦ કી.મી. ૧૦૦૦ કી.મી. વિહારમાં પણ ખુરશીમાં ઉપાડી થતી ગુરુભક્તિ. ગરવા ગિરીરાજની યાત્રા પણ પૂજ્યશ્રીને ખુરશીમાં ઉપાડી સુપરિવાર કરાવતો તે પણ એક અનુપમ લ્હાવો હતો અને સૂરિરામના સમુદાયનું ગૌરવ હતું. પૂજ્યશ્રીના જન્મદાત્રી માતુશ્રી પણ સંયમ સ્વીકૃતિ કરી પૂ. મંજુલાશ્રીજી મ. ના નામે સુંદર સાધનામય જીવન જીવી ગયા. પ્રવર્તિની પદે આરૂઢ થઇ, ૩ર વર્ષ પ્રવર્તિની પદને દીપાવી, ર૫૪ શ્રમણીવૃંદનું યોગ ક્ષેમ કરવાની કળા તેમનામાં અદ્ભુત હતી, પરિણામે આશ્રિતનું યોગ-ક્ષેત્ર ખૂબ સુંદર કર્યું હતું. ગુણ વૈભવના સથવારે, મંગલકારી મુક્તિના પગથારે જીવનનેયા વધી રહી હતી. અંતિમ પાથેય, અંતિમ લક્ષ્યવેધી બનવાની ભાવના સાકાર કરવાની ભાવના જ ન હોય તેમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી મહોદયસૂરીશ્વરજી મ.ના વંદનની તથા સ્મૃતિમંદિરનો મહોત્સવ જોવાની અદમ્યભાવના સહ વાપીથી અમદાવાદ પ્રયાણ કર્યું. ભીતરીય વાત તો કોને ખબર હતી કે “ગુરુમૈયાની આ છેલ્લી વિદાય હશે..પણ તેઓશ્રીજી તો પૂજ્યપાદશીના વન્દનની ઇચ્છા પૂર્ણ થઇ. પરમાધાર પૂજ્યશ્રીનું સ્વાસ્થ વધુ પડતુ બગડવા લાગ્યું. શર્દી, કફ, તાવ, ડી.બી. વધ્યું. હુમલાનું આક્રમણ વધ્યું. સેવાભાવી ડો. ની અનુપમ સેવા થઇ. ડો. પતરાવાલાની સલાહ મુજબ પણ દ્રવ્યોપચારમાં કમીના ન રહી. સાથે ભાવોપચારની પણ જાગૃતિ પૂજ્યશ્રીની હતી. પૂ. અનેક આચાર્ય ભગવંત, પૂ. પંન્યાસજી મ., પૂ. ગણિવર્યશ્રી, પૂ. મુનિભગવંતોની ઉપસ્થિતિમાં તથા વિદુષી પૂ. સ્વ. દર્શનશ્રીજી મ.ના સુવિશાલ પરિવાર દ્વારા સુંદર નિર્ધામણા કરાવાઇ. પૂજ્યશ્રીના સુવિશાલ પરિવારે સુકૃતની સરવાણી પૂજ્યશ્રીને સંભળાવી. સ્વાધ્યાય, તપ, જપ, ત્યાગ, નવાણુ યાત્રા વિ. વિપુલ સંખ્યામાં સાંભળતા પૂજ્યશ્રીએ બધાની અનુમોદના કરી. પોષ વદ ૭ ની સાંજે ૪ ક. ૧૧ મિ. પૂ.આ.ભ.ની ઉપસ્થિતિ, પૂજ્યશ્રીના નેતૃત્વધારી ૨૫૦ જેટલા શ્રમણીવૃંદની ઉપસ્થિતિ...મધુર સ્વરે મંજુલ સ્વરે સંભળાવાતા અરિહંતના નાદ વચ્ચે, શ્રી સિદ્ધાચલની અને શ્રી શંખેશ્વર પરમેષ્ઠિની પ્રતિકૃતિના મીટ માંડી દર્શન કરતા કરતા જ જીવનદીપ બુઝાઇ ગયો. જિનશાસન ગગનાંગણમાંથી ઝગમગતો તારલો ખરી પડ્યો. ગુરુદર્શન પરિવારમાં શૂનકાર છવાઇ ગયો. સૌની આંખો વરસી રહી હતી. અજોડ સાધકની સ્વર્ગભણી દોટ હતી. ગુણગરિષ્ઠ, નિ:સ્પૃહશિરોમણી, નિકટભવી, પરમાર્થમજ્ઞા પૂજ્યપાદ ગુરુદેવની ખોટ કોણ પૂરી શકે ? સ્વર્ગની અટારીથી પણ અમ પામરોનું યોગક્ષેમ કરી ભવોદધિથી પાર પમાડો એજ અભ્યર્થના. ચરણરેણ-પૂ.સા. શ્રી પઘકીર્તિશ્રીજી મ, પૂ.સા. શ્રી પુન્યદર્શનાશ્રીજી મહંસ પરિવાર ** * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy