SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 'સંતોની પ્રાણી છાણી, ગુણવૈ0ાવ-ગમિાઘાણી | આર્યા પ્રવર્તિની પ્રાપાદ ગદેવ હેરશ્રીજી મ.સા. ચતુર્ગતિ પરિભ્રમણ કરતા દુર્લભ માનવજીવનનો અવતાર મળી જાય. તેમાં પણ જેને શાસનની પ્રાપ્તિ, આત્મોન્નતિના સાધનોની પ્રાપ્તિ પુણ્યાત્માઓને જ મળે છે. આ પ્રાપ્તવસ્તુની વ્યાપ્તિ જીવનમાં ઉતારી ધન્ય બનાવી જનાર પુનાત્માની યશોગાથાના ગુંજન એટલે જ પ્રવર્તિની, ગુણગરિમાના સ્વામીની પૂજ્યપાદ શ્રી હંસશ્રીજી મ.સા. દીક્ષાની ખાણ તો ધર્મના ધામથી મંડિત શ્રી શાંતિનાથ પ્રભુજીના જિનાલયથી દેદીપ્યમાન છે છાણી નામની નગરી. ત્યાં હિંમતભાઇના કુલને વિષે પ્રદીપ સમાન મંછાબેન માતુશ્રીની રત્નકક્ષીને અલંકૃત કરવા, ખુમારી અને ખમીરીના ઓજસથી ઝળહળતી કાંતિથી સુશોભિત બાલિકાનો જન્મ દિવસ હતો વિ.સં. ૧૯૭૩ની મા. વ. ૮ નો પાવનીય પળને દીપાવતી બાલિકાનું નામ હતુ હસમુખ. હા ! મુખડા ઉપર હાસ્યના હોજ જ જોઈ લો...ખરેખર ! ભાવિની ભીતરના દર્શન તો તેની મુખાકૃતિ જણાવી હતી. બાલ્યવયથી વૈરાગ્યના રંગે રંગાયેલા, સંસારના બંધનો તોડી, મંગલકારી મુક્તિના ફિરસ્તા બનવાની ઇચ્છાથી, વિ.સં. ૧૯૮૯ના વૈશાખ સુ. ૬ ના હિતકારી દિને છાયાપુરીમાં સકલ આગમ રહસ્યવેદી પૂ.આ.ભ. શ્રી વિ. દાનસૂરિજી મ.સા., પૂ. સાગરાનંદસૂરિજી, સિદ્ધાંતકેશરી સિદ્ધાંતસંરક્ષક પૂ. રામચંદ્રસૂરિ મ.સા. ના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. શ્રી મૌનીન્દ્ર શાસનની પરમ વિદુષી આર્યા પૂ. દર્શનશ્રીજી મ.સા. નાં સુશિષ્યાનું સૌભાગ્ય પામી, પૂ. હંસશ્રીજી મ. નામે પ્રસિદ્ધિ પામ્યા. માનસસરોવરમાં રમમાણ બન્યા. પ.પૂ. બાપજી મ.સા. ની તારક નિશ્રામાં વિ.સં. ૧૯૯૦ કા. વ. ૬ ના દિને વડી દીક્ષા પ્રદાન તથા પૂ.પં. કપુર વિ. ગણિવર્યશ્રીજીને આચાર્ય પદ પ્રદાન થયું. ગુરુ સમર્પણભાવમાં ઇચ્છાઓનું તર્પણ કરી, તપત્યાગ, વિનય, જ્ઞાન સાધનામાં, અપ્રમત્ત ભાવે ક્રિયાની તન્મયતામાં. બુદ્ધિનું પરિસર્પણ કરી આત્માનંદી બન્યા. ગુરુકૃપાપાત્ર બન્યા. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય વિ.માં પ્રવિણ્યતા હતી, વળી કષાયોની આંધીને તો દૂર સુદૂર ભગાડી દીધી. પૂજ્યશ્રીનો જગતના જીવોને વશ કરવાનો અનુપમ મંત્ર હતો મૌન. જેને કારણે વચનની સિદ્ધિ પણ પૂજ્યશ્રીને વરેલી હતી. ઉપશમરસ નીતરતી સુપ્રસન્ન મુદ્રા હતી, સહિષ્ણુતા જીવન સંજીવની હતી. પૂજ્યશ્રીની ઉપદેશશૈલી પણ આદેશાત્મક નહીં, પણ અણગારની આચારસંહિતાને અનુસરનારી હતી. પ્રભુભક્તિનો રંગ અજબકોટિનો હતો. ભક્તિના રંગે રંગાયેલા પૂજ્યશ્રીને નિહાળવા એ પણ સૌભાગ્ય હતું. દેવવન્દન કર્યા બાદ ભાવ વિભોર બની વાતો કરતા, હે પ્રભુ! તારા જેવું મારે બનવું છે. તારા મારા વચ્ચેનું અંતર ક્યારે દૂર થશે ? આ છે જિનભક્તિના રાગીના અંતઃકરણની આરઝૂ શિષ્યારૂપ પરિગ્રહથી પણ નિરપેક્ષ, છતાં ય તારકગુરુદેવશ્રીની કૃપાથી શિષ્યા પ્રશિષ્યા સુપરિવારનો વિશાળવૃંદ હતો. સાયણા, વાયણા, ચોયણા, પડિચોયણા કરવાના અજબ ઘડવૈયા હતા. “દેહદુખે મહાફલ” એ દશવૈકાલિક સૂત્રની કુંચિકા આત્મસાત્ કરી હતી, તેથી જ વિહારાદિમાં પણ ક્યારેય શરીરના આરામની ઇચ્છા નહીં. પાંચ ડીગ્રી તાવમાં પણ ઉભા ઉભા પ્રતિક્રમણ કરવાની ટેક હતી. અપ્રમત્તદશાના-સ્વામીનીમાં નિત્યક્રમ મુજબ * * * * * * * * * * * * * * * * * * * ૪ * * * * * * * * * * * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy