SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વાલ્સલ્ટામણી ગુલા આ વિરાટ જગતની ભૂમિ ઉપર આત્મા અનંતવાર જન્મ્યો, જન્મ-જરા-મરણની શૃંખલામાંથી અનેકવાર પસાર થયો, આધિ-વ્યાધિ ઉપાધિથી સંતપ્ત બનીને જીવનની કિતાબ મલીન બનાવી. જન્મ અને મૃત્યુ કર્મને આધીન બનેલા જીવમાત્રને અનિવાર્ય છે. આપણે જાણીએ છીએ કે જે જન્મે છે તે મૃત્યુ પામે છે. પાછો જન્મે છે અને મરણદશાને પ્રાપ્ત કરે છે. આ અબાધિત ગતિને કોણ અટકાવી શકે ? પૂર્વ પુણ્યના યોગે લઘુકર્મી જે આત્મા આ ધરતી ઉપર જન્મે છે તે આત્મા પૂર્વના શુભકર્મોના ઉદયે સંસારમાં આવવા છતાં તેને સંસાર નિરસ લાગે, આત્માને પરમાત્મપદ ક્યારે પ્રાપ્ત થાય એ જ નાદ તેના હૃદયમાં સદાયે ગુંજતો હોય. આવા જ પુણ્યાત્મા આ સંસારને નશ્વર સમજી એનો ત્યાગ કરી ચારિત્રમાર્ગે પ્રયાણ કરી આત્મકલ્યાણને માર્ગે જાય. અને જન્મ-મરણની ગતિને અટકાવે. આવા જ આત્માઓ મુક્તિના અભિલાષી જીવોને એક માતા સમાન બની મુક્તિની કેડીએ પ્રયાણ કરાવે છે. આ અનંતની મુસાફરી દરમિયાન તેને અનેક માતાઓ મળી, પણ એવી માતા તેને ન મળી કે જેણે કર્મના બંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો હોય ! એવી જો માતા મળી ગઇ હોત, તો તો જીવ મુક્તિનો રાહી બની પોતાના જીવનને ધન્ય બનાવી દેત ! આત્માની આવી ચિંતા કરનાર માતા મહાપુણ્યોદયે ભાગ્યશાળી જીવાત્માને મળી જાય છે. ખરેખર ! મારા પુન્યોદયે મને આવા જ ગુરુમાતા મળ્યા. મારા મનના મનોરથ ફળ્યા. જન્મદાત્રી માતા કરતાં પણ વિશિષ્ટ સ્થાન ધરાવનાર મારા આ પ્રાણપ્રિય ગુરુમાતા હતા. એ ગુરુમાતાના મારી ઉપરના અસીમ ઉપકારો સ્મૃતિપથ ઉપર કંડરાઇ ગયા છે. તેથી જ એમના ગુણો મારા મનમાં ઉપસ્થિત થાય છે, ત્યારે હૈયું આનંદથી તરબોળ બની જાય છે, એમની સ્મૃતિ હૃદયને હચમચાવી દે છે, મનમંદિ૨માંથી એમની છબી એક પળ માટે પણ દૂર થઇ શકતી નથી. શું સ્મૃતિનું માધુર્ય આટલું બધું પજવનારું હશે ? મનમાં અનેક પ્રકારની કલ્પનાનાં તરંગો ઉછળે છે. તે શાંત થતાં જ હૈયું પોકારી ઉઠે છે કે, ખરેખર ગુણીજનના ગુણોની સ્મૃતિ અજબ ગજબની હોય છે. દુનિયામાંથી ગુણીજનોની વિદાય આદર્શરૂપ બની જાય છે, સાથોસાથ સુંદ૨ સંદેશો પણ આપતી જાય છે, અને આપણને જાગૃત પણ કરતી જાય છે. આવા જ સ્તવનીય-પૂજનીય-વંદનીય મારા ગુરુમાતા હતા. એ ઉપકારીના ઋણમાંથી કંઇક મુક્ત થવા એ પૂજ્યશ્રીના ગુણ ગાવા હેયુ આતુર બને છે. જો કે એમના ગુણો ગાવા હું અસમર્થ છું. છતાં એમની જ અસીમકૃપાના પ્રભાવે યતૃત્કિંચિત્ ગુણગાન ગાઇ વિરહની વ્યથાને દૂર કરી, એમના જેવા ગુણો મારામાં આવે તે આશયથી એમના ગુણોનું આલેખન કરું છું. હું એમને ક્યા શબ્દોથી નવાજું ?'' વાત્સલ્યમયી માતા'' ના બિરુદથી નવાજું એમ આંતરિક સ્ફુરણા થતાં અહોભાવે વંદના કરી, એ કરુણામયી માતાની જ કૃપાથી કલમને વેગીલી બનાવું છું. એમનાં ગુણપુષ્પોની માળામાંથી ફેલાતી સુવાસથી મારું જીવન તો પાવન બની જ ચૂક્યું છે. અમાવાસ્યાની કાજળઘેરી રાત્રિને વિદાય દેતાં સૂર્યદેવે ગગનના ગોખે દર્શન દીધાં. પ્રભાતનાં પાવન કિરણો પૃથ્વીતલને પવિત્ર બનાવી રહ્યા હતા. આવી જ કોઇ ધન્યઘડી, ધન્યવેળાએ એક માતાએ કરાંચીની ભૂમિ ઉપર એક બાળકીને જન્મ આપ્યો. જાણે પોતાના જીવનમાં વ્યાપેલ અંધકારને ઉલેચી પ્રકાશના પંથે લઇ જનાર જ ન હોય, તેમ બાળકીનાં દર્શનથી પ્રેમઘેલી માતા આનંદિત થઇ, જાણે એક અપૂર્વ પુત્રીરત્નને જન્મ આપ્યો હોય, તેમ હર્ષના ९
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy