SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરિયા હિલોળે ચડ્યા. ધન્ય માતાજી હરકુંવરબેન ! ધન્ય પિતાજી દીપચંદભાઇ ! ધન્યપુત્રી જયાબેન ! નામ એવા જ ગુણને ધારણ કરનાર પુત્રી જયાબેન થોડાં વર્ષો બાદ કરાંચી છોડી સૌરાષ્ટ્રની ગૌરવવંતી ભૂમિ (સાવરકુંડલા) કુંડલપુરમાં આવીને વસ્યા. ખરેખર ! કુંડલ એટલે ગોળાકાર કર્યાભરણ. ગોળ આકારનું એટલે શૂન્ય આકારનું ! તેમ આ કુંડલપુર એટલે શૂન્યમાંથી પૂર્ણતાનું સર્જન કરાવનારી ભૂમિ ! ત્યાં કર્મ શૂરા તેમ ધર્મ પણ શૂરા એવા માનવો વસતા હતા. શૂન્ય અને તેમાંથી પૂર્ણતાનું સર્જન ! આ તે કેવી વાત ! આશ્ચર્યકારી લાગે, પણ આ વાત સત્ય છે. પૌદ્ગલિક સુખના રસિકજીવને આ વાત મનમાં ન બેસે, પણ આત્મસુખના ઇચ્છુક આત્મા માટે તો નક્કર હકીકત છે. જીવાત્મા કર્મથી શૂન્ય બને, તો જ તે પૂર્ણતાના શિખરને આંબી શકે. આ પૂર્ણતાને મેળવવાનાં આલંબનરૂપ જિનમંદિર, જિનપ્રતિમા અને સદ્ગુરુના યોગથી આ ભૂમિ મંડિત હતી. આ નગરીમાં આવ્યા બાદ જ્યાબેનનું જીવન ધર્મના રંગે વધુ રંગાયું. કારણકે માનવનો જન્મ મળ્યો, વીરનો ધર્મ મળ્યો, પછી શું ખામી રહે ! સંતોનો સંગ એટલે પારસમણિ. પારસમણિનાં સંગે લોઢું પણ સુવર્ણ બને, તેમ સંતોનાં સંગથી માનવીનો પૌગલિક સુખનો રંગ તૂટી જાય, અને આત્મિક સુખની ઝંખના જાગે ! યૌવનના ઉંબરે ઉભેલા, સુશોભિત કાયાવાળા જયાબેનને ગુરુ ભગવંતોનો સમાગમ થતાં વિરાગ જાગ્યો. વિષયસુખનો એમનો મોહ ભાગ્યો. સૂતેલો એમનો આતમા જાગ્યો. સંસારનાં રંગરાગને ત્યાગી, મોહ-માયા-મમતાનાં બંધનો તોડી, અહિંસા, તપ, સંયમ સમતાનાં સાધક બનવાના કોડ જાગ્યા. એ મનનાં મનોરથની પૂર્ણાહુતિ કરવામાં સાથ આપનાર હતા સંયમ જીવનની સાધના સાધી રહેલા એમનાં વડિલ ભાગિની પૂ.સા. શ્રીહર્ષપૂર્ણાશ્રીજી મહારાજ ! એક દિ' મોહશૃંખલા તોડી આત્મકલ્યાણની કેડીએ પ્રયાણ કરવા જયાબેને મહાભિનિષ્ક્રમણ કર્યું અને પૂ.આ. શ્રી કનકચંદ્રસૂન રીશ્વરજી (ત્યારે પંન્યાસ) મહારાજની પાવન નિશ્રામાં સં. ૨૦૧૯ વૈશાખ વદ-૬ના દિવસે પૂ.દર્શનશ્રીજી મ.સા. ના શિષ્યા બની વિરતિનાં સંગી બન્યા. નામ મળ્યું. શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મહારાજ. - પૂજ્યોની નિશ્રામાં રહી તપત્યાગમય જીવનની આરાધના કરવા લાગ્યા. નમ્રતા, વિનય અને વૈયાવચ્ચ આદિ ગુણોની સાધનાના રાહી એ આગે કદમ બઢાવવા લાગ્યા. અનુક્રમે ગામોગામ વિચરતા એકવાર પૂજ્યસાધ્વીજી ભગવંતોનું સીસોદરા ગામે આગમન થયું. ત્યારે સંસારાવસ્થામાં રહેલી હું કુટુંબીજનોનાં સંસ્કારોથી ગુરુભગવંત પાસે જતી. ત્યાં જ્ઞાનગોષ્ઠિ કરતી અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરતી હતી. પણ એકવાર કામણ થયું ! મેં એમનાં પ્રથમવાર દર્શન કર્યા. ત્યાં તો જાણે મારા જુગજુગનાં સાથી જ મળ્યા ન હોય, તેટલો આનંદ થયો. એકીટસેઅનિમેષ નયને જેમ જેમ એમનું મુખ નિરખું, તેમ તેમ જાણે ચિર પરિચિત-ચિરસેવિત હોય, એવા ભાવો મારા મનમાં જાગ્યા. જ્યારે વંદન કરવા જાઉં ત્યારે એક ખૂણામાં તેઓશ્રીને સ્વાધ્યાય મગ્ન બેઠેલા જોઉં, જોતાં જ સામેથી સ્મિતની વર્ષા થાય અને પછી તો એમ જ થાય કે આ કોણ છે ? શું મારા પૂર્વભવનાં સાથી ! એમ વિચારતા અગમ્ય ભાવો પેદા થઇ જતા, પછી તો મનોમન સંકલ્પ કરી લીધો કે-આ જ મારા ભવોભવના સંગાથી છે. એમનાં ચરણે મારું જીવન સમર્પિત કરી દઉં. મનના નિશ્ચયને મનમાં જ શમાવી દઇ એક દિવસ એમની પાસે ધર્મકથા સાંભળવા બેઠી. તેઓશ્રી કહેતાં કે-એકલો આવ્યો આતમપંખી, એકલો ચાલ્યો જાય ! આ તો પંખીનો મેળો છે. કોઇ જાય મોડો તો કોઇ જાય વહેલો, વેળા થતાં સહુ ઉડી જાય ! આ એકત્વ ભાવનાનો રણકાર મારા કાનમાં ગુંજવા લાગ્યો. પછી તો કોલેજ જવાનું પણ ન ગમે. કેમકે કોલેજ એટલે કાજળની કોટડી ! એ પૂજ્યશ્રીનાં વચનથી સમજાઇ ગયું હતું. ગ ગ ગ ગ : * - - - - - - ૧૦ - - - - - - - - - - - - - - - - -
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy