SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવદ્ગીતા. ( ૧૪૯) શત્રુ અને મિત્ર સાથે સમાન ભાવથી વર્તનારે, માન કે અપમાન થતાં ખેદ હર્ષનૂ કરનારે, ટાઢ તડકામાં અને સુખ દુઃખમાં સમભાવી, કેાઈ પ્રત્યે આસક્તિ ન કરનાર, નિન્દા અને સ્તુતિને સરખાં માનનારે, હરકેઈ વસ્તુથી સંતુષ્ટ રહેનાર, હરકેઈ સ્થળે રહી જીવન વ્યતીત કરનારે દ્રઢ બુદ્ધિવાળે ભક્તપુરૂષ મને પ્રિય છે. ૩૮-૩૯. અ. ૧૪ મે ક ૨૨ થી ૨૫ ત્રિગુણાતીત મનુષ્ય કેવો હોય તે કહે છે. प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव नद्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि कांक्षति ५८५ હે અર્જુન ! પ્રકાશ સત્વગુણનું કાર્ય, પ્રવૃતિ રજોગુણનું કાર્ય, અને મોહ તમગુણનું કાર્ય છે તે પ્રકાશ, પ્રવૃતિ કે, મેહ પિતાની મેળે પ્રાપ્ત થયાં હોય તો દુઃખરૂપ માની દ્વેષ કરતો નથી, તેમ તે કાર્ય નિવૃત્ત થયાં હોય તો તેને સુખ બુદ્ધિથી મેળવવા આશા કરતું નથી. ૪૦ उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्तइत्येव योऽवतिष्ठति नेगते ५८६ ઉદાસીની પેઠે રહ્યો છતાં ત્રણ ગુણો વડે જે ચલાયમાન થત નથી, રજોગુણાદિજ પિતાના કાર્ય સાથે વર્તે છે તેની સાથે મારે લેવા દેવા નથી એમ માની સ્થિર રહે છે. ૪૧ समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकांचनः तुल्यपियापियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ५८७ જે સ્વસ્વરૂપમાં રહેલો ધીર પુરૂષ હોય છે તે સુખદુઃખ સરખાં ગણે છે, ધૂળનું ટેરું અને કાંચન સમાન જાણે છે, પ્રયિ કે અપ્રયિ સરખું માને છે, પિતાની નિન્દા કે સ્તુતિને તે સમાન જાણે છે. ૪૨
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy