________________
द्वितीयं पद्मम्.
હાલમાં ઘણા મુનિઓમાં દેખાતા વિદ્વત્તા અને ઉત્તમ સંસ્કારો
તેમણે આપેલી શિક્ષાના
ફળરૂપ છે. (૪૦)
તેઓ બાળમુનિઓને
વાત્સલ્યપૂર્વક એવી રીતે ભણાવતા કે
જેથી તેઓ હંમેશા
તેમની નજીકમાં રહેતા. (૪૧)
તથા તેઓ મનમાં
સ્વ-પર સમુદાયનો ભેદ કર્યા વિના
જ્ઞાનદાન અને
સંયમનિર્માણ કરતા. (૪૨)
તેથી બન્ને ગુરુદેવો
હંમેશા ખુબ નિશ્ચિન્ત બની જતા, તેમને સંઘના કાર્યો પ્રસન્નતાપૂર્વક કરવા ઘણો સમય મળતો. (૪૩)
४८