________________
द्वितीयं पद्मम्
બીજુ પદ્મ
(સાધનાયજ્ઞ)
વિનય-વૈયાવચ્ચ-સાધના
બન્ને ભાઈ મુનિઓએ પોતાના જીવનમાં
સાધનાનો યજ્ઞ શરુ કર્યો. ઉત્તરાધ્યયનસૂત્રમાં
વિનયસાધના પહેલી કહી છે. (૧)
તેથી મુક્તિના અભિલાષી
તે બન્ને મહાત્માઓએ આનંદથી ગુરુમહારાજના ચરણોમાં
પોતાનું જીવન સમર્પિત કર્યું. (૨)
(મન-વચન-કાયાના) ત્રણે યોગો ઉપરથી
પોતાની માલિકી ઉઠાવીને તેમની ઉપર ગુરુમહારાજની માલિકી બેસાડવી
એ સમર્પણનું લક્ષણ કહ્યું છે. (૩)