________________
प्रथमं पद्मम् -
પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ
રાધનપુરસંઘની વિનંતિથી ચૈિત્ર મહિનાની ઓળીની આરાધના કરાવવા
રાધનપુર પધાર્યા. (૩૫)
ત્યારે ત્યાં (એક) ભવ્યાત્માની દિક્ષાનો
અને પંન્યાસશ્રી રામવિજયજીને ઉપાધ્યાય પદવી આપવાનો
મહોત્સવ હતો. (૩૬)
ત્યારે પૂજ્ય દાનસૂરિ મહારાજે વિચાર્યું કે,
“મારી તબિયત સારી નથી, તેથી મારા પછી
કોણ ગચ્છનું પાલન કરશે ?' (૩૦)
જે કારણથી ઉપાધ્યાય પ્રેમવિજયજી
આચાર્યપદવી નથી લેતા. તેથી હવે મારે આજ્ઞા ફરમાવવી જોઈએ,
એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” (૩૮)