________________
प्रथमं पद्मम्. તેમાં પહેલું દેરાસર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે,
બીજુ દેરાસર શ્રીસંભવનાથ ભગવાનનું છે અને ત્રીજુ દેરાસર
શ્રી અજિતનાથ ભગવાનનું છે. (૮)
ત્યારે શ્રીસંભવનાથ ભગવાનના દેરાસરની
નજીકમાં ભગવાનના ભક્ત અને ક્રિયામાં રત એવા
ચીમનલાલ નામના શ્રાવક રહેતા હતા. (૯)
તેમના ભૂરિબેન નામે
શીલવાળા ધર્મપત્નિ હતા. તેમના ત્રણ દિકરા
અને એક દિકરીએ દીક્ષા લીધી. (૧૦)
તેમના પહેલા દિકરા આચાર્ય થયા,
બીજા દિકરા પંન્યાસ થયા, ત્રીજા દિકરા મુનિ થયા
અને દિકરી સાધ્વી થઈ. (૧૧)