SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકયો છે. આથી સ્પષ્ટ થાય છે કે અન્યતરત્વને પણ સંબંધ રુપે સ્વીકારેલો છે. તમે એમ ન કહેતાં કે એક મહાદેવ ભટ્ટે કહ્યું છે એટલે અમે ન સ્વીકારીએ આવું જો કથન કરશો તો એ પણ અયુક્ત છે કેમ કે સિદ્ધાન્ત લક્ષણમાં પણ ચંદ્રનારાયણ ભટ્ટે આ અન્યતરત્વ સંબંધનો સ્વીકાર કરેલો જ છે. પ્રતિયોગિતાવચ્છેદકતામાં વિશેષણ સ્વરૂપ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધની જૂનવારક પર્યાપ્તિનો પ્રવેશ કરવો આવશ્યક થઈ પડશે. જો આ સંબંધ માટે પર્યાપ્તિનો નિવેશ નહીં કરીએ તો વિષયિત્વ સમવાયાન્યતર સંબંધથી રૂપસ્વ વિશિષ્ટ રૂપને સમવાય સંબંધથી સાધ્ય અને આત્મઘટાન્યતરત્વ - હેતુ આ સ્થળમાં અવ્યાપ્તિ આવી જશે. હેતુ જે આત્મધટાન્યતરત્વ તેનું અધિકરણ અમે ઘટ લઈશું. તેમાં વિષયિતા સંબંધથી રૂપસ્વ વિશિષ્ટાભાવ તો મળી જશે. કેમકે વિષયિતા સંબંધથી રૂપત્વ વિશિષ્ટ તો રૂપત્વ વિષયક જ્ઞાન થશે. તેનો અભાવ તો ધટમાં મળી જ જશે. આમ હેત્વધિકરણ ઘટમાં સાધ્યાભાવ મળી જતાં અવ્યાપ્તિ આવશે. તે જ રીતે આત્મઘટાન્યતરત્વ રુપ જે હેતુ છે તેનું અધિકરણ આત્મા લઈશું અને તેમાં સમવાય સંબંધથી રૂપસ્વ વિશિષ્ટાભાવ ગ્રહણ કરશું. આ અભાવને ગ્રહણ કરતાં જ અવ્યાપ્તિ તો આવી જશે. આના દ્વારા અમારે તો એટલું જ કહેવું છે કે ચંદ્રનારાયણ ભટ્ટે જે અવ્યાપ્તિ દોષ આપ્યો છે તે અન્યતરત્વને સંબંધ રૂપે સ્વીકાર્યો છે પછી આપ્યો છે. આથી સિદ્ધ થાય છે કે અન્યતરત્વને જે સંબંધ રૂપે અમે સ્વીકાર્યો છે તે કેવલ કપોલકલ્પિત નથી પરંતુ અન્ય પણ આચાર્યોને આ કલ્પના ઇષ્ટ જ છે. આથી તમે જો ના (૩૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy