SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુ માટેનો વિશેષ સંબંધ ગ્રહણ કર્યાં છે અને તે સંબંધ પર્વતાનુયોગિક સમવાય સંબંધ આ સંબંધથી કોઈપણ વસ્તુ પર્વતમાં જ રહેશે બીજે કયાંય નહીં રહે. આથી દ્રવ્યત્વ પણ પર્વત ઉપર જ રહેશે અને વહિ પણ ત્યાં છે આમ સદ્વેતુ બની જશે આથી વ્યભિચારની શંકા તમારે ન કરવી. હવે વાત રહી એ કે અવ્યાપ્તિ કેવી રીતે આવે છે તેના માટે લક્ષણનો સમન્વય કરાય છે. પ્રસ્તુત સ્વપ્નમાં હેતુ : દ્રવ્યત્વ, હેતુતા: દ્રવ્યત્વમાં હેતુતા નિરૂપિત સંસર્ગતાઃ પર્વતાનુયોગિકસમવાય નિષ્ઠા સંસર્ગતા, તેનો અવચ્છેદકઃ પર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વ અનવચ્છેદક: સંયોગત્પાદિ તેનાથી અનવચ્છિન્ન જેમ પર્વતાનુયોગિક સમવાય બને છે તેમ શુદ્ધ સમવાય પણ બનશે. આથી સાધ્યાભાવાધિકરણ જલહૂદ તનિરૂપિત વૃત્તિતા જ દ્રવ્યત્વમાં જશે. વૃત્તિાભાવ ન જતાં અવ્યાપ્તિ તો લાગશે જ. આથી જ વિશેષણ દલનું ઉપાદાન કરવું આવશ્યક થઈ પડશે. જ્યારે વિશેષણ દલનું ઉપાદાન કરશો ત્યારે અવ્યાપ્તિ દૂર થઈ જશે. કેમકે પ્રસ્તુતમાં હેતુતા નિરૂપિત સંસર્ગતાપર્વતાનુયોગિકસમવાયનિષ્ઠા, તદવચ્છેદકતા-પર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વમાં, આ અવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણપર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વ, તાદશ ધર્માવચ્છિન્ન સંસર્ગતાપર્વતાનુયોગિકસમવાય નિષ્ઠા સંસર્ગતા જ આવશે. શુદ્ધ સમવાય નિષ્ઠા સંસર્ગતા ગ્રહણ થશે નહીં. આથી સમવાય સંબંધાવચ્છિન્ન. વૃત્તિતાને ગ્રહણ કરીને જે દોષ આપતાં હતાં તે તો દૂર થઈ ગયો. કેમકે સાધ્યાભવાધિકરણ જલહૂદમાં પૂર્વમાં સમવાય સંબંધથી દ્રવ્યત્વની વૃત્તિતા લેતાં હતાં તે હવે નહી લઈ શકાય કેમકે વૃત્તિતા માટે તો પર્વતાનુયોગિક સમવાય સંબંધ છે. આમ આ સંબંધથી (૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy