SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં અહીં એટલો વિવેક અને ઔચિત્ય જરૂરી છે કે સર્વજ્ઞનું અનાદિનિધન નિત્ય પ્રતિષ્ઠિત શાસન તર્ક ને શ્રદ્ધા ઉભયને સ્વીકારે છે. સન્મતિપ્રકરણમાં પણ જૈનન્યાયના આદ્ય પ્રણેતા ગણાતા પ.પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી જણાવે છે કે जो हेउवाचयपवक्खे हेउओ, आगमे अ आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अण्णो ॥ અર્થાત્ તર્કગ્રાહ્ય પદાર્થો તર્ક દ્વારા અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો આજ્ઞાથી જ ગ્રાહ્ય અને અન્યથા પ્રરૂપણા કરતા સિદ્ધાંતની વિરાધના થાય. જિનવચનની શ્રદ્ધા – સંવેગ – વૈરાગ્ય દઢ કર્યા વિના જ ન્યાયદર્શનની થતી વધુ પડતી ભાવિતતા જો જિનમતમાં જ સંદેશ - સંશય કરાવનાર બને તો સ્વહસ્તે જ સ્વઘાત થાય. અસ્તુ. ન્યાયદર્શનથી તીર્ણ થયેલી બુદ્ધિનો ઉપયોગ જિનમતમાં શ્રદ્ધા દઢ કરવા માટે થાય તો જ આશયશુદ્ધિ દ્વારા સમ્યક્ત્વની શુદ્ધિ થઈ મોક્ષ સમીપ બને. ચાયપરિકર્મિત પરિણતિવાળા વિદ્વાનો પાસે શ્રીસંઘની અપેક્ષા એ હોઈ શકે કે * શાસ્ત્રવાર્તા સમુચ્ચય - જૈનદર્શન સ્તબકમાં પ.પૂ. મહોપાધ્યાય યશોવિજયજીએ અચાન્ય દર્શનોના જિનમત વિપરીત પદાર્થોનું સ્પષ્ટતાપૂર્વક સચોટપણે ખંડન કર્યું છે. જૈનમતનું ખંડન કર્યું છે. આ પદાર્થોને વધુ સરળ ભાષામાં ચાયના પ્રારંભિક અભ્યાસીઓને પણ સમજાય તે રીતે ટીકા-અનુવાદ ગ્રંથોના સર્જન થવા જોઈએ. * અનેકાંત વ્યવસ્થા પ્રકરણ, અનેકાંત જયપતાકા જેવા કેટલાય શિરમોર ગ્રંથરત્નોના વિશુદ્ધ પાઠાંતરો - પરિશિષ્ટો સહ સંપાદન થાય તથા ન્યાયપરિણિત બુદ્ધિથી તે પર કલમ ચલાવી
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy