SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેના અનુવાદો શ્રીસંઘને મળે. મો. યશોવિજયજી મ. સાહેબે તેમના જીવનકાળ દરમ્યાનમાં થયેલા દિગ્ગજ વૈયાયિકોના મતોની સમાલોચનાઓ કરી છે. ત્યાર પછીના કાળે થયેલા મૈયાયિકોના મતોની સમીક્ષાઓ પણ નૂતન સૃજિત થતા ગ્રંથોમાં થાય તો વિદ્વાનોને મનભાવતું ભોજન મળે. કોણ સ્વીકારશે આ Challanging Job ને ! કોણ પૂરા કરશે જિનશાસનનાં આ અરમાનોને ! અનેક વિષયોને ઉપલક સ્પર્શ કરવા કરતા એક જ વિષયમાં ઊંડાણમાં જવું વધુ કપરુ હોય છે, જે પ્રસ્તુત ગ્રંથમાં દષ્ટિગોચર છે. વ્યાપ્તિપંચકની પ્રથમ વ્યાપ્તિ પર જ ૧૦૮ પૂર્વપક્ષ ઉત્તરપક્ષ પુરસ્કર ગ્રંથરચનાથી વ્યાપ્તિપંચક ટીકા જેટલો જ નૂતન ગ્રંથ વિદ્વાન મુનિ શ્રી રાજધર્મ વિજયજી દ્વારા તૈયાર થયો છે. અનુવાદ સહિતના આ સરળ ટીકાગ્રંથની મુખ્ય વિશેષતા એ હશે કે વ્યાપ્તિપંચક -સિદ્ધાંતલક્ષણ કર્યા બાદ વાંચશો તો બંને ગ્રંથનું રીવીઝન થઈ જશે. અને પહેલા વાંચશો તો આગળના ગ્રંથમાં પ્રવેશ સરળ થઈ જશે.. આમ અહીં તો ઉભયપક્ષે બેય હાથમાં લાડુ જ છે. મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના 74 મા જન્મદિવસે થતું આ પ્રકાશન અનેકને અજન્મા બનવા મોક્ષમાર્ગના પયિક સમ બની રહે એવી શુભેચ્છા અને અપેક્ષા. કારતક સુદ-૧, ૨૦૬૬ રવિવાર વિરમગામ.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy