________________
૬
કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિક્રમના બારમાં સૈકામાં થયેલ મહાન પ્રભાવક પુરુષ હતા. તેઓ જૈનધર્મના શાસ્ત્રા, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિ શાસ્ત્રાના પ્રકાંડ વિદ્વાન હતા. તેમની પ્રતિભાથો ગુર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિંહે વ્યાકરણ બનાવવાની તેમને વિનંતિ કરી અને પૂજ્ય આચાય દેવશ્રીએ શ્રી સિદ્ધહેમ મહાવ્યાકરણની રચના કરી તે અને વ્યાકરણ કાવ્ય, કાષ, લિંગાનું શાસન, છન્દાનુશાસન વિ. વ્યાકરણના અંગા વડે સંસ્કૃત સાહિત્યને સર્વાંગ સુંદર બનાવ્યું,
પૂજ્ય હેમચંદ્રસુરીશ્વરજી મહારાજના જન્મ વિ. સં. ૧૧૪૫ કારતક સુદ ૧૫, આચાય પદ વિ. સં. ૧૧૬૬ વૈશાખ સુદ-૩ અને સ્વર્ગારાહણુ વિ. સં. ૧૨૨૯માં થયેલ.
શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન વિ. સં. ૧૧૯૩માં શરૂ કરેલ અને ત્યારબાદ કાવ્ય કાષા વિગેરે રચેલા છે. સિદ્ધહેમમાં સંસ્કૃત પ્રાકૃત બંને વ્યાકરણ રચ્યાં છે.
મહારાજા સિદ્ધરાજને તે બહુમાન્ય હતા અને મહારાજ કુમારપાલના પ્રતિબાધન કરનારા તેઓ ગુરુ હતા. સિદ્ધરાજ જયસિંહના જન્મ ૧૧૪૩ અને મૃત્યુ ૧૧૯૯માં થયેલ. કુમારપાલ મહારાજાનેા જન્મ ૧૧૪૯ અને મૃત્યુ ૧૨૨૯માં થયેલ.
વિપુલ સાહિત્ય સર્જન
તેઓશ્રીએ સંસ્કૃત ભાષામાં વિપુલ શ્રેષ્ઠ સાહિત્ય સર્જ્યો છે. તેમની આ કૃતિઓનેા અનુભવ કરનારા તેમને માનવા પ્રેરાય છે.
રચીને એક ભવ્ય યુગ
વી અંશથી પ્રભાવિત
તેમષ્ણે રચેલ ગ્રન્થામાં નીચે મુજબ ગ્રન્થા પ્રસિદ્ધિમાં છે :
(૧) યાગશાસ્ત્ર સટીક (શ્લાક ૧૨૫૭૦) (૨) ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર (૩૨૦૦૦) (૩) પરિશિષ્ટ ૫ (૩૫૦૦) (૪) દ્રાશ્રય કાવ્ય સંસ્કૃત (૨૮૨૮) (૫) દ્વચાશ્રય કાવ્ય પ્રાકૃત (૧૫૦૦) (૬) અભિધાન ચિતામણિ શબ્દાષ સટીક (૧૦૦૦૦) (૭) ૐષ નામમાલા (૨૭૪) (૮) અનેકાસંગ્રહ (૧૮૨૮) (૯) દેશી નામમાલા (મૂ. ૭૮૩ ટીકા ૩૫૦૦)(૧૦)પ્રમાણુમીમાંસા સટીક અપૂર્ણ (૨૫૦૦) (૧૧) સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ (૬૦૦૦) (૧૨) સિદ્ધહેમ॰ બૃહ્રવૃત્તિ (૧૮૦૦૦)(૧૩) સિદ્ધહેમ ન્યાસ પ્રાકૃતવ્યાકરણાદિ વિવરણ સાથે (૮૪૦૦૦) (૧૪) પ્રાકૃત વ્યાકરણ છંદવૃત્તિ (૨૨૦૦ (૧૫) ઉડ્ડાદિ વિવરણુ સહિત (૩૨૫૦)