SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમુખ ૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બેલવા ચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવતો હોય એ ખરેખર જ અહિંસક છે. ૧૪. શિક્ષાસૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણોનો નાશ થઈ જાય છે એ એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતોને જાણકાર જ ગ્રહણ અને આસેવનરૂપ સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણોને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથીઃ ૧, અભિમાન, ૨. ક્રોધ, ૩. પ્રમાદ, ૪. રોગ અને ૫. આળસ. ૧૭૨-૧૭૩.આ આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને શિક્ષણ શીલ કહેવામાં આવે છેઃ ૧. હાંસી–મજાક ન ઉડાવવી, ૨. હમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, ૪, અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, પ. વિશીલ (દોષથી કલંકિત) ન બનવું, ૬. અતિશય રસલોલુપતા ન હોવી, ૭. અક્રોધી રહેવું, તથા ૮. સત્યમાં રત રહેવું. ૧૭૪. વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પોતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે. તેમજ અનેક પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન કરીને એ શ્રુતસમાધિમાં લીન બની જાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy