SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તિયું ખા ૧૫૬. જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે,–હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાને એને પ્રયત્ન હોય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. ૧૫૭. આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. સિદ્ધાંતને આ આખરી ફેસલો છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિંસક છે. ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં) બીજો કોઈ ધર્મ નથી. ૧૫૯ મુનિએ કહ્યું : “હે રાજન ! તને અભય છે અને તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવ-લોકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છો ?' ૧૩. અપ્રમાદસૂત્ર ૧૬. આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે '. કરવું છે અને આ નથી કરવું – આ પ્રમાણે મિથ્યા બકવાદ ન કરનાર પુરુષને, ઉઠાવી લેવાના સ્વભાવવાળો, કાળ ઉઠાવી લે છે. ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ સૂતે * રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વાજિત કર્મોને ખંખેરી નાખે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy