SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વસી. વણીજીની અખૂટ ધીરજ અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રંથને સંભવિતતાની ક્ષિતિજમાં આણી દીધો. પ્રારંભિક સંકલન વણજીએ કર્યું તે “જૈન ધર્મ સાર”ના નામે પ્રકાશિત કરવામાં આવ્યું. એની હજારેક નકલ જૈનધમી તેમ જ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનોને મોકલવામાં આવી. જે બધા સુધારા અને સૂચનો આવ્યાં તેનો આધાર લઈને બીજું સંકલન શ્રી દલસુખભાઈ માલવણિયાએ કર્યું. સંત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ. હુકુમીચંદ મારિલે ઘણું ગાથાઓ સૂચવી. ઉદયપુરવાળા ડો. કમલચંદજી સગાણીએ પણ અનેક સૂચનો કર્યા. આ તમામનું અધ્યયન કરીને વણજીએ ત્રીજું સંકલન કર્યું તે “જિણ ધમ્મના નામે છપાયું. જૈનધર્મીઓની છેલ્લાં બે હજાર વરમાં થઈ નહોતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું. એમાં જૈનધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકોની હાજરી હતી. એ સંગીતિ સમક્ષ “જિણ ધમ્મ” સંકલન રજૂ થયું. દિલ્હીમાં મળેલી એ સંગીતિનું અધિવેશન બે દિવસ સુધી ચાલ્યું. કુલ ચાર બેઠકો થઈ. ચાર બેઠકમાં આમ્નાના મુનિઓ અધ્યક્ષપદે વારાફરતી બેઠા-મુનિશ્રી સુશીલ કુમારંજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી, તથા ઉપાધ્યાય મુનિશ્રી વિદ્યાનંદજી. ચારે બેઠકને આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી ધર્મસાગરજી, આચાર્યશ્રી વિજય સમુદ્રસુરિજી તથા આચાર્યશ્રી દેશભુષણજીના આશીર્વાદ પ્રાપ્ત થયા. ગ્રંથનું અંતિમ પ્રારૂપ ચારે અધ્યક્ષેની સહાયતાથી શ્રી જિનેન્દ્ર વણિજીએ તયાર કર્યું. આમ જે સંકલન તૈયાર થયું તે અંતિમ અને સર્વમાન્ય છે. આને શુદ્ધ અને પરિપૂર્ણ બનાવવામાં મુનિશ્રી નથમલજી તથા શ્રી દલસુખભાઈ માલવણિયાજીનો હાથ વિશેષરૂપે છે. ડૉ. એ. એન. ઉપાધ્યે, ડો. દરબારીલાલજી કેઠિયા વગેરે વિદ્વાનોએ પણ ઘણું મદદ કરી છે. ગાથાઓની શુદ્ધિમાં પંડિત કૈલાશચંદ્રજી શાસ્ત્રી, પંડિત બેચરદાસજી દેશી અને મુનિશ્રી નથમલજીએ ભારે પરિશ્રમ કર્યો છે. પંડિત બેચરદાસજીએ એક એક શબ્દને ચકાસીને સંસ્કૃત છાયાનું સંશોધન અને પરિમાર્જન કર્યું છે. આ બધા વિદ્વાનોના પુરુષાર્થોને પ્રેરવામાં અને પછી એમને પ્રોઈને એક સંપૂર્ણ માળા રચવામાં સૂત્રરૂપે પૂ. વિનોબાજીનું પ્રત્યક્ષ તથા પરોક્ષ માર્ગદર્શન આરંભથી અંત સુધી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરતાં પણ સંકેચ થાય છે, છતાં અનિવાર્ય કર્તવ્યરૂપે અહીં કરીએ છીએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy