SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૮૮. કુલ, રૂ૫, જાતિ, જ્ઞાન, તપ, શ્રત અને શીલને જે શ્રમણ જરા જેટલા પણ ગર્વ નથી કરતો તે તેને માર્દવ ધર્મ કહેવાય. ૮૯. બીજાનું અપમાન કરવાના દોષને જે સદા સાવધાનીપૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં માની છે. ગુણ ન હોય અને અભિમાન - કરવું તેથી કાંઈ માની બનાતું નથી. ૯૦. આ પુરુષ અનેક વાર ઉચ્ચ ગોત્ર અને અનેક વાર નીચ ગોત્રને અનુભવ કરી ચૂકી છે, એટલા માટે નથી કઈ હીન કે નથી કેઈ. અતિરિકત, (એટલા માટે એણે ઉચ્ચ ગોત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રનો અનુભવ કરી ચૂકો છે-) આવું જાણ્યા પછી ગોત્રવાદી કેણ હેઈ શકે? કેણ માનવાદી હોઈ શકે ? ૧. જે કુટિલ વિચાર નથી કરતો, કુટિલ કાર્ય નથી કરતા, કુટિલ આ વચન નથી બોલતો અને પોતાના દોષે છુપાવતો નથી તેને એ આર્જધધર્મ કહેવાય. ૯૨. બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે ભિક્ષુ સ્વ પર-હિતકારી વચન લે છે તેને એ સત્યધર્મ કહેવાય. ૩. અસત્ય બેલીને પણ પોતે સફળ ન થઈ શક્યો એવો શોક અસત્ય બોલ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુઃખી બને છે. અસત્ય બોલીને એ બીજાને ઠગવાને સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બેલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પોતાના અસત્યને પકડી ન પાડે એ વિચારથી પણ એ દુઃખી બને છે. આ પ્રમાણે અસત્ય વ્યવહારનું પરિણામ દુઃખજનક છે. આ પ્રમાણે, વિષયોથી અતૃપ્ત બની ચોરી કરતે થકો એ દુઃખી અને આશરા વિનાને બનતા જાય છે. ૯૪. પિતાના ગણવાસી (સાથી) એ કરેલી હિતકર વાત પિતાને મધુર ન લાગી હોય તો પણ, તીખા ઔષધની જેમ એ પરિણામે મધુર ફળ આપનારી નીવડે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy