SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જોતિર્મુખ २७ ૭૫. સમ્યકત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર, અત્યંત ભયંકર, રાગ-દ્વેષરૂપી પાપોને અધીન ન થવું જોઈએ. ૭૬. તમામ જીવોને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ-ભોગની સતત અભિલાષાને લીધે થાય છે. વીતરાગી એ દુઃખને અંત કરી શકે છે. ૭૭. જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે. અને આસક્ત વ્યક્તિને સંસાર અનંત બનતું જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેષનું મૂળ છે—જે આ પ્રકારના ચિતન માટે પ્રયત્નશીલ બને છે તથા ઈદ્રિયવિષયે દેનાં મૂળ નથી – આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ-ગુણેમાં થનારી એની તૃષ્ણા પ્રક્ષીણ થઈ જાય છે. ૭૯. નિશ્ચયદષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. એટલા માટે શરીરનું દુઃખદાયક અને કલેશકારી મમત્વ છે. ૮૦. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મનાં આગમન દ્વારો— આસોને તથા ઈદ્રિયોને, ત્રણ કરણ (મન, વચન અને કાયા) અને ત્રણ વેગ (કૃત, કારિત અનુમત) વડે નિરોધ કરો અને કષાયોને હણે. ૮૧. ભાવથી વિરકત થયેલે મનુષ્ય શોકમુકત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણીથી લેવાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે અનેક દુઃખોની પરંપરાથી લેપાતો નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy