SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩, સંઘસૂત્ર ૨૫. ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે. ૨૬. રત્નત્રય જ “ગણુ” કહેવાય છે. મેક્ષ માર્ગ ઉપર ગમન કરવાને “ગચ્છ” કહે છે. “સંઘ” એટલે ગુણનો સમૂહ. અને નિર્મળ આત્મા જ “સમય” કહેવાય છે. ૨૭. ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસનરૂપ છે, છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિતા તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે માટે તમે સંઘથી ડરો નહિ. ૨૮. સંઘમાં રહેલ સાધુ જ્ઞાનને ભાગી (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે. જીવન પર્યત જે ગુસ્કુળવાસને છોડતા નથી એ ધન્ય છે. - ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી ગૌરવ, નથી ભય ( અનુશાસન), નથી લજજા, તથા નથી સ્નેહ એ • ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અર્થ? ૩૦-૩૧. સંઘ કમળ જેવો છે. (કારણ કે) કર્મરજરૂપી જલસમૂહથી કમળની માફક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રતરત્ન (જ્ઞાન અગર આગમ) જ એની દીર્ઘનાળ છે. પંચ મહાવ્રત જ એની સ્થિર કર્ણિકા છે; અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે. શ્રાવકજનરૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી જે પ્રબુદ્ધ થાય છે તથા જેને શ્રમણ ગણરૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy