SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ २२६ ૭૧૧. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પિતપોતાના વાચક અર્થમાં આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે. અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે. દાખલા તરીકે ઈંદ્ર, પુરંદર અને શક–ત્રણેય શબ્દ દેના રાજાના બેધક છે છતાં ઈ. શબ્દથી એના એશ્વર્યને બોધ થાય છે અને પુરંદર શબ્દથી પોતાના શત્રુઓનાં શહેરોના નાશ કરનારનો બંધ થાય છે. આ પ્રમાણે શબ્દભેદાનુસાર અર્થભેદ કરવાવાળા નયને “સમભિરૂઢ નય” કહે છે. (આ શબ્દને અર્થારૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે.) ૭૧૨. એવું અર્થાત્ જે શબ્દાર્થ હોય એવા જ રૂપમાં જે વ્યવહત થાય છે એ ભૂત અર્થાત્ વિદ્યમાન છે. અને જે શબ્દાર્થથી અન્યથા છે એ અ-ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ “એવંભૂત નય” છે. એટલા માટે જ શબ્દનય અને સમભિરૂઢ નયની અપેક્ષાએ એવંભૂત નય વિશેષરૂપે શબ્દાર્થતત્પર નય છે. ૭૧૩. જીવ પોતાનાં મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે જે કામ કરે છે. એ પ્રત્યેક કર્મને બેધક અલગ-અલગ શબ્દ છે અને એને જ એ વખતે પ્રયોગ કરનાર એવંભૂત નય છે. દાખલા તરીકે પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહેવો અને યુદ્ધ કરતી વખતે ચોદ્ધો કહે તે આ હકીકતને સાક્ષી છે. ૪૦. સ્યાદ્વાદ તથા સપ્તભંગી સૂત્ર ૭૧૪. નયનો વિષય હોય કે પ્રમાણ, પરસ્પર સાપેક્ષ વિષયને જ સાપેક્ષ કહેવામાં આવે છે. અને એથી વિપરીતને નિરપેક્ષ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રમાણને વિષય સર્વનની અપેક્ષા રાખે છે અને નયને વિષય પ્રમાણની તથા અન્ય વિરોધી નોની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે.) ૭૧૫. જે હમેશાં નિયમન નિષેધ કરે છે અને નિપાતરૂપે સિદ્ધ છે એ શબ્દને “સ્વાતું” કહેવાય છે. આ વસ્તુને સાપેક્ષ સિદ્ધ કરે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy