SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદુ ૨૧૯ ૬૭૯ ઇંદ્રિય અને મનના નિમિત્તથી શ્રતાનુસારી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. એ પોતાના વિષયભૂત અર્થને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય એવું હોય છે. બાકીનું ઇદ્રિય અને મનના નિમિત્તથી થનારું અશ્રુતાનુસારી અવગ્રહાદિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. (આનાથી સ્વયં જાણી શકે છે પણ બીજાને સમજાવી શકાતા નથી). આગામાં કહેવામાં આવ્યું છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બને વચ્ચે અંતર છે. “પૂર્વ શબ્દ “પૃ ધાતુથી બન્યો છે. એનો અર્થ પાલન અને પૂરણ એવો થાય છે. શ્રતનું પૂરણ અને પાલન કરવાથી મતિજ્ઞાન પહેલાં થાય છે. એટલા માટે શ્રતને મતિ પહેલાં થનારું કહ્યું છે. ૬૮૧. - “અવધીયતે ઈતિ અવધિ અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આને આગમમાં સમાજ્ઞાન પણ કહ્યું છે. આની બે ભેદ છે –ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ૬૮૨. જે જ્ઞાન મનુષ્ય લોકમાં રહેલા જીવના ચિંતિત, અચિંતિત, અર્ધચિંતિત, વગેરે અનેક પ્રકારના અર્થ દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે મનઃ પર્યયજ્ઞાન. ૬૮૩.. કેવલ શબ્દનો અર્થ એક, શુદ્ધ, સકળ, અસાધારણ અને અનંત વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન એક છે અર્થાત્ ઈકિયાદિની સહાયતા વિનાનું છે અને એના થવાથી બીજાં બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે કેવળજ્ઞાન, “એકાકી છે. મળકલંકથી રહિત હેવાથી એ “શુદ્ધ’ છે. સંપૂર્ણ શેને ગ્રહણ કરવાવાળું હોવાથી “સકળ છે. એના જેવું બીજું કઈ જ્ઞાન નથી એટલા માટે અસાધારણ છે. એને કદિ અંત નથી એટલા માટે એ “અનંત છે. ૬૮૪. કેવળજ્ઞાન લેક અને અલકને સર્વતઃ પરિપૂર્ણરૂપે જાણે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કશું એવું નથી જેને કેવળજ્ઞાન ન જાણતું હોય. : *, અકc
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy