SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલોદ ૨૧૫ ૬૬૬. દ્રવ્યની એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રકટ) થાય છે અને અન્ય (પૂર્વવતી ) પર્યાય નષ્ટ (અદશ્ય) થાય છે. છતાં દ્રવ્ય નથી થતું ઉત્પન્ન અને નથી થતું નષ્ટ-દ્રવ્ય રૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય) રહે છે. ૬૬૭. પુરુષમાં પુરુષ શબ્દને વ્યવહાર જન્મથી માંડી મરણ સુધી થાય છે. પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણ-બુઢાપે વગેરે અનેક પ્રકારની પર્યાયે ઉત્પન્ન થતી જાય છે અને નષ્ટ પણ થતી જાય છે. (એટલા માટે) વસ્તુઓની જે સદશ પર્યાય છે–લાંબા સમય સુધી ટકી રહેવા વાળી છે એ જ સામાન્ય કહેવાય અને એની જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બને–સામાન્ય તથા વિશેષ પર્યાયો એ વસ્તુથી અભિન્ન (થોડીક) માનવામાં આવી છે. ૬૬૯. સામાન્ય તથા વિશેષ–આ બન્ને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારું વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યકત્વનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી થતું. આ ૬૭૦. એક જ પુરુષમાં પિતા, પુત્ર, પિત્ર, ભાણેજ, ભાઈ વગેરે . અનેક સંબંધ હોય છે. (એક જ સમયે એ પોતાના 'પિતાને પુત્ર અને પોતાના પુત્રને પિતા હોય છે, ) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાનો પિતા નથી થતો. | (આ જ સ્થિતિ બધી વસ્તુઓના સંબંધે છે). ૬૭૧. નિર્વિકલ્પ તથા સવિકલ્પ–ઉભયરૂપ પુરુષને જે કેવળ નિર્વિકલ્પ અથવા સવિકલ્પ ( એક જ) કહે છે એની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. ૬૭૨, દૂધ અને પાણીની માફક અનેક વિરોધી ધર્મો દ્વારા પરસ્પર એક બીજા સાથે મળી ગયેલ પદાર્થમાં “આ ધર્મ” અને “એ ધમ” –આમ વિભાગ કર ઉચિત નથી. જેટલી વિશેષ પર્યાયે હોય એટલે જ અવિભાગ સમજવો જોઈએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy