SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તરવ-દશન ૨૦૫ ૬૪૧. સ્કંધ પુગલના છ પ્રકાર આ પ્રમાણે– અતિસ્થળ, સ્થળ, સ્થૂળ-સૂક્ષ્મ, સૂકમ-સ્થળ, સૂમ, અને અતિ-સૂમ. પૃથ્વી વગેરે આનાં છ દૃષ્ટાંત છે. ૬૪૨. પૃથ્વી, જળ, છાયા, નેત્ર, તથા બાકીની ચાર ઇંદ્રિયોના વિષયે, કર્મ અને પરમાણુ– આ રીતે જિનેન્દ્રદેવે સ્કંધ પુદ્ગલનાં છ દૃષ્ટાંત દીધાં છે. (પૃથ્વી અતિ સ્થળનું, જળ સ્થળનું, છાયા-પ્રકાશાદિ નેત્રંદ્રિય વિષય સ્થૂળ-સૂક્ષમનું, રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે શેષ, ઇંદ્રિય-વિષય સૂક્ષમ-સ્થળનું, કામણ સ્કંધ સૂક્ષ્મનું તથા પરમાણુ અતિ સૂક્ષ્મનું દૃષ્ટાંત છે.) ૪૩. જે આદિ-મધ્ય-અંત વિનાનું છે, જે કેવળ એક પ્રદેશ છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઇદ્રિ ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ વિહીન દ્રવ્ય પરમાણુ કહેવાય છે. ૬૪૪. જેમાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થાય છે અર્થાત જે તૂટે છે અને જોડાય છે એ પુગળ કહેવાય છે. સ્કંધની માફક : પરમાણુના પણ સ્પશર રસ, ગંધ, વર્ણ ગુણોમાં હમેશાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થતી રહે છે એટલા માટે - પરમાણુ પણ પુગળ કહેવાય છે. ૬૪. ચાર પ્રાણ વડે વર્તમાનમાં જે જીવે છે, ભવિષ્યમાં જે જીવશે અને ભૂતકાળમાં જે જીવ્યો છે તે જીવ દ્રવ્ય છે. પ્રાણ ચાર છે– બલ, ઇંદ્રિય, આયુ અને ઉચ્છવાસ. ૬૪૬ વ્યવહાર નયની અપેક્ષાએ સમુદ્યાત અવસ્થાને છેડી, સંકેચ-વિસ્તારની શક્તિને લીધે, જીવ પોતાના નાના અથવા મેટા શરીરના બરાબર પરિમાણન હોય છે. કિંતુ નિશ્ચયનયની અપેક્ષાએ જીવ અસંખ્યાત પ્રદેશ છે. ૬૪૭. જેવી રીતે પદ્મરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજ્જવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કોઈ પદાર્થને નથી બનાવતો તેવી રીતે જીવ શરીરમાં રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે– અન્ય કોઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy