SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ દર્શન २०३ ૬૩૪. ધર્મદ્રવ્યની માફક જ અધર્મદ્રવ્યનું સમજવું. પરંતુ તફાવત એટલો જ કે એ સ્થિતિરૂપ ક્રિયાથી યુક્ત જીની તથા પુદ્ગલની સ્થિતિમાં પૃથ્વીની જેમ નિમિત્ત બને છે. ૬૩૫. જિનેન્દ્રદેવે આકાશ-દ્રવ્યને અચેતન, અમૂર્ત, વ્યાપક અને અવગાહ લક્ષણવાળું કહ્યું છે. લેક અને અલકના ભેદને હિસાબે આકાશ બે પ્રકારનું છે. ૬૩૬. આ લોકને જીવ અને અજીવમય કર્યો છે. જ્યાં અજીવને એકદેશ (ભાગ) માત્ર આકાશ હોય ત્યાં એને અલક કહે છે. ૬૩૭. સ્પર્શ, ગંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુ–લઘુ ગુણથી યુક્ત તથા વર્તની લક્ષણવાળું કાલદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ૩૮. જીવ અને પુલમાં હંમેશાં થનારી અનેક પ્રકારની પરિણતિએ અથવા પર્યાય મુખ્યપણે કાલદ્રવ્યના આધારથી . થતી હોય છે. અર્થાત્ એમના પરિણમનમાં કાલદ્રવ્ય નિમિત્ત બને છે. (આને આગમમાં નિશ્ચયકાલ કહેવામાં આવ્યો છે.) ૬૩૯. વીતરાગ દેવે કહ્યું છે કે વ્યવહાર-કાળ સમય, આવલિ,* L". ઉચ્છવાસ, પ્રાણ, ઑકાદિક રૂપાત્મક છે. ૬૪૦. આણુ અને સ્કંધરૂપે પુદ્ગલ દ્રવ્ય બે પ્રકારનું છે. સ્કંધ છે પ્રકારના છે અને પરમાણુ બે પ્રકારના – કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ – છે. * આવલિ = એક વાસે શ્વાસની સંખ્યામાં ભાગ. * સ્તક = કાળનું એક જાતનું પ્રમાણ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy