SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તવ-દશન act ૬૨૧. જે સ્થાનને મહર્ષિ જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણ છે. એ અબાધ (બાધા-પીડા વિનાનું ) છે, સિદ્ધિ છે, લોકાગ્ર છે, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. દરર. જેવી રીતે તુંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પણ માટી દૂર થઈ જાય એટલે એ પાછું ઉપર તરવા લાગે છે તેવી રીતે, અથવા એરંડફળ તડકામાં સૂકાયા પછી જેમ એનું બી ઉપર થઈ જાય છે, અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે, અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયાગથી ગતિમાન થાય છે તેવી રીતે સિદ્ધ જીવની ગતિ પણ સ્વભાવથી જ ઉપરની દિશામાં થાય છે. ૬૨૩. પરમાત્મ-તત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ રહિત, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હેય છે. ૩પ. દ્રવ્યસૂત્ર કર૪. પરમદશી જિનવરાએ લેકને ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગળ અને જીવ–આમ છ દ્રવ્યોનો બનેલે કહ્યું છે. ૬૨૫. આકાશ, કાળ, પુદગળ, ધર્મ અને અધર્મ વગેરે દ્રવ્યોમાં જીવના ગુણ નથી હોતા તેથી એને અજીવ કહ્યાં છે. જીવને ગુણ ચેતન્ય-ચેતનતા છે. ૬૨૬. આકાશ, કાળ, જીવ, ધર્મ, અને અધર્મ દ્રવ્ય અમૂર્તિક છે. પુદ્ગલ દ્રવ્ય મૂત્તિક છે. આ બધામાં કેવળ જીવ દ્રવ્ય જ ચેતન છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy