SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ - તવદર્શન ૬૦૧. રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલો જીવ ઈન્દ્રિયાધીન બનીને, મન વચન-કાય દ્વારા, એના આસ્ત્રદ્વાર બરાબર ખૂલા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતો રહે છે. ૬૦૨. જેવી રીતે, સમુદ્રમાં છિદ્રો વાળી નૌકામાં સતત પાણી ભરાતું રહે છે ( અને અંતે નૌકા ડૂબી જાય છે ) તેવી રીતે હિંસાદિ આસ્રવદ્વારો દ્વારા હંમેશાં કર્મોનો આસ્રવ થતો રહે છે. ૬૦૩. ( ગ પણ આસવ દ્વાર છે.) મન, વચન અને કાયથી યુક્ત જીવને જે વીર્ય પરિણામ અથવા પ્રદેશ-પરિસ્પંદનરૂપ પ્રાણોગ થાય છે તેને યોગ કહે છે. ૬૦૪. જેમ જેમ યોગ, અલ્પતર થતો જાય છે તેમ તેમ બંધ અથવા આસ્રવ પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં | વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતો તેવી રીતે ગનો નિરોધ થઈ જાય એટલે બંધ નથી પડતો. ૬૦૫. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ– આ આસવના 'હેતુઓ છે. સંયમ, વિરાગ, દર્શન અને યેગનો અભાવ– આ સંવરના હેતુઓ છે. ૬૦૬. જેવી રીતે વહાણનાં હજારો કાણાં બંધ કરી દીધા પછી - એમાં પાણી ઘૂસી શકતું નથી તેવી રીતે મિથ્યાત્વાદિ દૂર થઈ ગયા પછી જીવમાં સંવર થાય છે. ૬૦૭. જે સકલ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે કર્માસવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સંયમીને પાપકર્મનો બંધ નથી પડતો.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy