SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તવ-દશન ૫૯૪. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે – પુદ્દગલ, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને કાલ. આમાં પદ્મલ રૂપાદિ ગુણયુક્ત હોવાને લીધે મૂર્તિક છે. બાકીના ચાર અમૂર્તિક છે. ૫૯. આત્મા (જીવ) અમૂર્ત છે એટલા માટે એ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. તથા અમૂર્ત પદાર્થ નિત્ય હોય છે, આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દૃષ્ટિએ બંધના કારણ છે અને બંધને સંસારનો હેતુ કહ્યો છે. ૫૯૬. રાગયુક્ત જ કર્મબંધ કરે છે. રાગરહિત આત્મા કર્મોથી મુકત બને છે. જીવનના બંધનું આ કથન સંક્ષેપમાં નિશ્ચય દૃષ્ટિએ કહ્યું છે. “ ૫૯૭. એટલા માટે. મેક્ષાભિલાષીએ સૂમ પણ રાગ ન કરવો જોઈએ. આમ કરવાથી એ વિતરાગી બની ભવસાગરને તરી જાય છે. . જય છે. ' . . • પ૯૮ કમ બે પ્રકારનાં છે–પુણ્ય રૂપ અને પા૫ રૂ૫. પુણ્ય કર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે અને પાપ કર્મના બંધનો હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકષાયી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે અને તીવ્ર કષાયી જીવ અસ્વચ્છ ભાવવાળા હોય છે. ૫૯. સર્વત્ર પ્રિય વચન બોલવું, દુષ્ટ વચન બોલનારને પણ ક્ષમા આપવી અને બધાના ગુણોને ગ્રહણ કરવા–આ મંદકષાયી જીવાનાં લક્ષણ છે. ૬૦૦. પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષમાં પણ દોષો જોવાનો - ' સ્વભાવ હોવો, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી – આ તીવ્ર કષાયવાળા જીવોનાં લક્ષણ અથવા ચિહ્ન છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy