SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૮૩ વગેરે પ્રમાદીનું એટલું અનિષ્ટ નથી કરતાં જેટલું સમાધિકાળે મનમાં રહેલા માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્ય કરે છે. આથી બધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે તથા સંસારનો અંત નથી થતો. ૫૭૯. એટલા માટે અભિમાન વિનાને સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત્ મિથ્યા-દશન શલ્ય, માયા શલ્ય, અને નિદાન શલ્યને અંતરમાંથી ફેંકી દે છે. ૫૮૦. આ સંસારમાં જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત બની નિદાનપૂર્વક તથા કૃષ્ણ લેશ્યાની પ્રગાઢતા સહિત મરણ પામે છે તેમને માટે બોધિલાભ દુર્લભ છે. ૫૮૧. જે જીવ સમ્યગ્દર્શનનો અનુરાગી બની નિદાન રહિત તથા - શુકલ લેશ્યાપૂર્વક મરણ પામે છે તેને બોધિલાભ સુલભ છે. ૫૮૨. (એટલા માટે મરણકાળે રત્નત્રયની સિદ્ધિ અગર સંપ્રાપ્તિના . અભિલાષી સાધકે) પહેલેથી જ પરિકર્મ અર્થાત્ સમ્યકત્વાદિનું અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ કારણ કે પરિકર્મ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે. ૫૮૩-૫૮૪. રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હમેશાં સમુચિત શસ્ત્રાભ્યાસ કરતો રહે તો એનામાં દક્ષતા આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવયુક્ત સાધુ સદા ધ્યાનાભ્યાસ કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy