SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૫૩૪. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. ૫૩૫. પીત (તેજ), પત્ર અને શુકલ આ ત્રણેય ધર્મ અથવા શુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ સુગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૬. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર આ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ શુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના મંદતમ, મંદતર અને મંદ આ ત્રણ ભેદે છે. તીવ્ર અને મંદની અપેક્ષાએ પ્રત્યેકમાં અનંત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ-વૃદ્ધિ અને અનંત ગુણ-વૃદ્ધિ – આ છ વૃદ્ધિ અને આ નામની જ છ હાનિઓ સદા થતી રહે છે. આ કારણે જ લેશ્યાઓના • ભેદોમાં પણ ઓટ-ભરતી થયા કરે છે. પ૩૭-૫૩૮. છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ પડ્યા. ભૂખ સતાવવા લાગી. થોડા સમય પછી તેઓને ફળથી લાદેલું એક ઝાડ દેખાયું. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. એકે વિચાર્યું કે વૃક્ષને જડમૂળથી કાપી એનાં ફળ ખાઈએ. બીજાએ વિચાર્યું કે કેવળ થડ જ કાપવું. ત્રીજાએ ડાળી, ચોથાએ ડાખળાં, પાંચમાએ ફળ તોડીને ખાવાને પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે છઠ્ઠાએ વિચાર્યું કે ઝાડને કે એના કઈ પણ ભાગને કાપે નહિ પણ ઝાડ ઉપરથી જે પાકાં ફળ નીચે પડ્યાં છે તેને વીણીને ખાવામાં શું વાંધો છે? આ છે યાત્રીઓના વિચાર, વાણી અને વર્તન અનુક્રમે છ લેશ્યાઓનાં ઉદાહરણ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy