SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૬૩ ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન જીવ જ ઉત્તમ તીર્થ (તટ કિનારો છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા સંસાર પાર કરી શકાય છે. પ૧૫. અહીંયાં દરેક જીવ પોતાનાં કર્મોનાં ફળને પોતે એકલો જ ભગવે છે. એવી સ્થિતિમાં અહીંયાં કોણ પોતીકું છે અને કોણ પરાયું છે? ૫૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલો આત્મા જ શાશ્વત છે. બાકી બીજુ બધું એટલે કે શરીર તથા રાગાદિ ભાવ તો સંગ-લક્ષણવાળાં છે. એટલે કે બધાંની સાથે મારો સંબંધ સંયોગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે. પ૧૭. આ સંયોગને લીધે જ જીવને દુખોની પરંપરા પ્રાપ્ત થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ સંગસંબંધને ત્યાગ કરું છું.. ૫૧૮. અન્ય ભવમાં ગયેલા બીજા લોકો માટે અજ્ઞાની જીવ શાક • કરે છે પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પોતાના - આત્માની ચિંતા કરતો નથી. ૫૧૯. આ શરીર અન્ય છે, હું અન્ય છું, બંધુ-બાંધવ પણ મારાથી અન્ય છે, આવું જાણી કુશળ વ્યક્તિ એમાં આસક્ત થતી નથી. પ૨૦. દેહ જીવનના સ્વરૂપથી તત્ત્વતઃ ભિન્ન છે એવું જાણું જે આત્માનું ચિતન મનન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy