SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૫૫ ૪૮૬. જેવી રીતે પાણીના સંગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનારે આત્મરૂપ અગ્નિ પ્રકટ થાય છે. ૪૮૭. જેને રાગ દ્વેષ અને મેહ નથી તથા મન, વચન, કાયારૂપ ચાગોનો વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મોને સળગાવી નાખનારો ધ્યાનાગ્નિ પ્રકટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને બેઠેલે શુદ્ધ આચાર અને પવિત્ર શરીરવાળો ધ્યાતા સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯ પલ્ચકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને રેકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર ખેડી એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસે શ્વાસ લે. . ૪૯૦. જ્યાં સુધી પૂર્વકર્મને નાશ ન થાય ત્યાં સુધી એ પોતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી, બધાં પ્રાણીઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી તથા ચિત્તને નિશ્ચલ કરી ધ્યાન ધરે. ૪૯૧. જેમણે પોતાના ચાગ અર્થાત્ મન, વચન, કાયાને સ્થિર કરી વાળ્યા છે અને જેમનું ચિત્ત બરાબર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસેથી ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશે ફેર નથી. ૪૨. સમાધિની ભાવનાવાળો તપસ્વી શ્રમણ ઈદ્રિના અનુકૂળ વિષયમાં (શબ્દ-રૂપાદિમાં) કદિ પણ રાગભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષમાં મનથી પણ દ્વેષભાવ ન રાખે. *
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy