SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૫૩ ૪૮૦. સૂવા, બેસવા અને ઊઠવા માટે ભિક્ષુએ વ્યર્થ કાયિક વ્યાપાર પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છઠ્ઠું કાયોત્સર્ગ નામનું તપ કહે છે. ૪૮૧. કાર્યોત્સર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે– ૧. દેહજાદ્ય શુદ્ધિ –કફ વગેરે દેશે ક્ષીણ થવાથી દેહની જડતા હોય તે નષ્ટ થાય છે. ૨. મતિજાડ્યશુદ્ધિ– જાગરૂકતાથી મતિની જડતા નષ્ટ થાય છે. ૩. સુખ-દુઃખ-તિતિક્ષા–સુખ, દુઃખ સહન કરવાની શકિતનો વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા– ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા–શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. ૪૮૨. પિતાનાં મોટાં. કળાનો ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેઓ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઇચ્છાવાળાએ એવી રીતે તપ કરવું કે જેની બીજાને ખબર સુદ્ધાં ન પડે. પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ. ૪૮૩. જેવી રીતે વનમાં લાગેલી પ્રચંડ આગ ઘાસના ગંજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનમયી વાયુ અને શીલ દ્વારા પ્રજ્વલિત તમય અગ્નિ એ બન્ને મળીને * સંસારના કારણભૂત કર્મબીજને બાળી નાખે છે. ('. ૨૯. દયાનસૂત્ર ૪૮૪. જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું અને ઝાડમાં એની જડ મુખ્ય છે– ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમામ ધર્મોનું મૂળ ધ્યાન છે. - ૪૮૫. સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે. અને ચિત્તની જે ચંચળતા છે તેના ત્રણ રૂપ છે–ભાવના, અનુપ્રેક્ષા, અને ચિતા.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy