SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષથાગ ૧૪૯ ૪૬૬. ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યા હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવું, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી–આ બધાંને વિનય તપ ૪૬૭. દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઔપચારિક વિનય–આ વિનય, તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે. . . ૪૬૮. એકના તિરસ્કારમાં બધાનો તિરસ્કાર સમાયેલું છે અને એકની પૂજામાં બધાની પૂજા આવી જાય છે. માટે જ્યાં જ્યારે કંઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં આવે ત્યાં ત્યારે એમનો વિનય કરવો જોઈએ.) ૪૬૯ જિનશાસનનું મૂળ વિનય છે. સંયમ અને તપથી વિનીત બનવું જોઈએ. જે વિનયહીન છે એને કયાંથી હેય ધર્મ અને કયાંથી. હય તપ ? ૪૭૦. વિનય મેક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તથા જ્ઞાન : પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્ય તથા સકળ સંઘની * આરાધના થાય છે. ૪૭૧. વિનયપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા આ લોક તથા પરાકમાં ફળ આપનારી હોય છે. પાણી વિના ધાન્ય નથી પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. ૪૭૨. એટલા માટે તમામ પ્રકારનો પ્રયત્ન કરીને વિનયને કદિ ન છોડવો જોઈએ. થોડા જ શ્રુતજ્ઞાનના માલિક પણ વિનય દ્વારા કર્મોનો નાશ કરી શકે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy