SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૪૭ ૪૫૯. અનંતાનંત ભવોમાં બાંધેલાં શુભાશુભ કર્મોના સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે. માટે, તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. ૪૬૦. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે ? આલોચના, પ્રતિકમણ, ઉભય, 'વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહાર તથા શ્રદ્ધા. ૪૬૧. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો બે પ્રકારનાં હોય છે – આભોગ કૃત અને અનાગત. બીજા દ્વારા જાણવ્રામાં આવેલાં કર્મ આગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ કર્મ અનાભોગ કૃત કહેવાય. બન્ને પ્રકારનાં કર્મોની અને એથી લાગેલા દોષોની આલોચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુલ ચિત્ત કરવી જોઈએ. ૪૬૨. જેવી રીતેં બાળક પિતાના કાર્ય–અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ "" . પોતાના બધા દેશોની આલોચના માયા-પદ (છલ-છ) 1 તજીને કરવી જોઈએ. ૪૬૩૪૬૪. જેવી રીતે કાંટ લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે તેવી જ રીતે પિતાના દોષોને ન પ્રકટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રકટ કરી દેવાથી સુવિશુદ્ધ બની સુખી થઈ જાય છે – મનમાં કેઈ શલ્ય રહી જતું નથી. ૪૬૫. પોતાનાં પરિણામને સમભાવમાં સ્થાપિત કરી આત્માને જે એનું નામ જ આલેચની છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપ્યો છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy