SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૩૯ ૪૩૨. વચન-રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવોને દૂર કરી, આત્માનું ધ્યાન ધરે તેનું એ (પારમાર્થિક પ્રતિકમણ) કહેવાય. ૪૩૩. ધ્યાનમાં ડૂબી ગયેલે સાધુ બધા દોષને દૂર કરી શકે છે, એટલા માટે ધ્યાન જ સમસ્ત અતિચારો (દોષ)નું પ્રતિકમણ છે. ૪૩૪. દિન, રાત, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિક્રમણ વગેરે વખતે શાસ્ત્રોકત નિયમાનુસાર સત્તાવીશ શ્વાસોચ્છેવાસ સુધી અથવા ઉપયુકતકાળ સુધી, જિનેન્દ્ર ભગવાનના ગુણોનું ચિંતન કરતાં કરતાં શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કાયોત્સર્ગ આવશ્યક છે. ૪૩૫. કાર્યોત્સર્ગમાં હોય તે સાધુ, દેવે, મનુષ્ય, તિય, અચેતને કરેલ (એટલે કે પ્રાકૃતિક, આકરિમક) બધા ઉપસર્ગો (બાધાઓ, આપત્તિએ) સમભાવે સહે છે. • ૪૩૬. તમામ વાચનિક વિકાનો ત્યાગ કરી અને ભવિષ્યના શુભાશુભનું વિવરણ કરી જે સાધુ આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે. ૪૩૭. જે પોતાનો ભાવને છોડતો નથી અને કેઈ પણ પર-ભાવને ગ્રહણ કરતો નથી અને જે બધાનો જ્ઞાતા-દ્રષ્ટા છે એ (પરમ તત્ત્વ) “હું જ છું એવું ચિંતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે. ૪૩૮. (એ એવો પણ વિચાર કરે છે કે, જે કાંઈ મારું દુશ્ચારિત્ર છે અને હું મન,વચન અને કાયપૂર્વક ત્યાગ કરું છું અને નિર્વિકલ્પ બની ત્રણ પ્રકારે સામાયિક કરું છું.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy