SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૩૫ ૪૧૮. પર-ભાવનો ત્યાગ કરી નિર્મલસ્વભાવી આત્માનો ધ્યાતા આત્મવશી હોય છે. એના કર્મને આવશ્યક કહેવામાં આવે છે. ૪૧૯. જે તે પ્રતિકમણાદિ આવશ્યક કર્મોની ઈચ્છા રાખે છે તો તું પોતાને આત્મવિભાવમાં સ્થિત, સ્થિર રાખ, આથી જીવન' સામાયિક ગુણ પૂર્ણ બને છે– એનામાં સમતા પ્રવેશે છે. ૪૨૦. જે શ્રમણ આવશ્યક-કર્મ નથી કરતો, એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત કામે આવશ્યક અવશ્ય કરવાં જોઈએ.” ૪૨૧. જે નિશ્ચયચારિત્રસ્વરૂપ પ્રતિકમણાદિ ક્રિયાઓ કરે છે એ શ્રમણ વીતરાગ-ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે. ૪૨૨. (પરંતુ) વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, વચનમય આલોચના – આ બધાંને તો કેવળ - સ્વાધ્યાય કહેવામાં આવે છે (ચારિત્ર નહિ). ૪૩. (માટે જ). જે કરવાની શક્તિ અને સંભાવના હોય તો ધ્યાનમય પ્રતિકમણ વગેરે કર, આ સમયે જે શક્તિ નથી તો એ બધામાં શ્રદ્ધા કેળવવી એ કર્તવ્ય છે – શ્રેયસ્કર છે. ૪૨૪. સામાયિક, ચોવીસ જિનનું સ્તવન, વંદના, પ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન – આ છ આવશ્યક છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy