SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૧૩ ૩૬. સાધુ મમવરહિત, નિરભિમાની, નિસંગ, ગૌરવનો ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જીવો તરફ સમદષ્ટિવાળો હોય છે. ૩૪૭. એ લાભ અને હાનિમાં, સુખ અને દુઃખમાં, જીવન અને મરણમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. ૩૪૮. એ ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શેક રહિત અને નિદાન તથા બંધન વિનાને હોય છે. ૩૪૯. આ લેક અને પરલોકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદનનો લેપ કરે, અને આહાર મળે ન મળેબધી વખત એ સમભાવી હોય છે, તથા હર્ષ કે વિષાદ એ નથી કરતો. . ૩૫૦. આવો શ્રમણ અપ્રશસ્ત કારો-(હેતુઓ )થી આવનારાં કર્મોનો સર્વતોભાવેન અવરોધ કરી અધ્યાત્મ સંબંધી ધ્યાનગોથી પ્રશસ્ત એવા સંયમમાં લીન થઈ જાય છે. ૩૫૧. ભૂખ, તરસ, દુષ્ટશપ્યા (ઉંચી-નીચી પથરાળી ભૂમિ), ટાઢ, તડકો, અરતિ, ભય વગેરેને દુઃખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈએ. કારણ કે શારીરિક દુઃખને સમભાવ પૂર્વક સહન કરવા મહાફળદાયી છે. - ૩૫૨. સંયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભજન. અહો ! બધા જ્ઞાની પુરુષોએ નિત્ય અનુષ્ઠાનને કેવો સુંદર ઉપદેશ આપ્યો છે!
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy