SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૩૧૯ (વ્યાપાર વગેરેના ક્ષેત્રને મર્યાદિત બનાવવાની ઇચ્છાથી) ઉપર, હેઠે તથા આસપાસની દિશાઓમાં ગમન, આગમન, અથવા સંપર્ક વગેરેની મર્યાદા બાંધવાનું જેમાં કહેવામાં આવ્યું છે તે દિગ્ગત નામનું પહેલું ગુણવ્રત છે. ૩૨૦. જે દેશમાં જવાથી કઈ પણ વ્રતનો ભંગ થાય અથવા એમાં દેષ આવે એમ હોય તે દેશમાં જવાની નિયમ પૂર્વક, . નિવૃત્તિને દેશાવકાશિક નામનું બીજું ગુણવ્રત કહે છે. ૩૨૧. કારણ વિના કાર્ય કરવું અથવા કઈ પણને સતાવવાની કિયાને અનર્થદંડ કહે છે. આના ચાર પ્રકાર છે–અપધ્યાન, પ્રમાદપૂર્ણ ચર્યા, હિંસાનાં ઉપકરણ આદિ આપવાં અને પાપનો ઉપદેશ– આ ચારેયના ત્યાગને અનર્થદંડ-વિરતિ નામનું ત્રીજુ ગુણવ્રત કહે છે. ૩૨૨. પ્રજનપૂર્વક કામ કરવાથી થોડું કર્મબંધન થાય છે અને પ્રયજન વિના કરવાથી ઘણું થાય છે. કારણ કે સપ્રજન કાર્યમાં તે દેશકાળાદિ પરિસ્થિતિઓને ગણતરીમાં લેવાની હોય છે પરંતુ પ્રયજન વિનાની પ્રવૃત્તિ તો હમેશાં ( અમર્યાદિતપણે) થઈ શકે છે. ૩ર૩. અનર્થ દંડથી વિરમેલા શ્રાવકે કંદર્પ ( હાસ્યપૂર્ણ અશિષ્ટ - વચન પ્રગ), કીકુચ (શારીરિક કુચેષ્ટા), મૌખર્ય ( વ્યર્થ બકવાદ), હિંસાનાં અધિકરણના સંયોજનની તથા ઉપભોગ-પરિભાગની મર્યાદાને અતિરેક ન કરવો જોઈએ. ૩૨૪. ચાર શિક્ષાત્રત આ પ્રમાણે છે–ભેગોનું પરિમાણ, સામાયિક, . અતિથિ-સંવિભાગ, અને પ્રષિધોપવાસ. ૩ર. ભગોપભોગ-પરિમાણ વ્રત બે પ્રકારનાં છે– ભોજન-રૂ૫ તથા કાર્ય અથવા વ્યાપાર-રૂપ. કંદમૂલ આદિ અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મ–માંસાદિના ત્યાગને અથવા પરિમાણને ભેજન વિષયક ભેગો પગ વ્રત કહે છે. અને ખરકર્મ અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપાર વિષયક ગોપભોગ પરિમાણ વ્રત કહે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy