SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ર૯૪. જેમ ઓષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ વ્યાધિ ફરી વખત સતાવતો નથી તેમ જે વિવિકત (સ્ત્રી વગેરેથી રહિત) શય્યાસનથી નિયંત્રિત (યુકત) છે, અ૫ આહારી છે અને દમિતેંદ્રિય (દાન્ત) છે એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર પરાજિત કરી શકતા નથી. ૨૫. જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી, અને ઈદ્રિયો અશકત ન બની ગઈ હોય ત્યાં સુધી યથાશકિત ધર્માચરણ કરી લેવું (કારણકે પછી અશકત તથા અસમર્થ દેહેંદ્રિયો દ્વારા ધર્મ આચરી શકાતો નથી). ૨૨. દ્વિવિધ ધર્મસૂત્ર ૨૯૬. જન્મ, ઘડપણું મરણથી મુકત જિનેન્દ્રદેવે આ લોકમાં બે જ માર્ગ બતાવ્યા છે – એક છે ઉત્તમ શ્રમણોનો અને બીજે છે ઉત્તમ શ્રાવકોનો. ૨૭. શ્રાવકધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે જેના વિના શ્રાવક બની શકાતું નથી તથા શ્રમણધર્મમાં ધ્યાન અને અડ્યયન મુખ્ય છે જેના વિના શ્રમણ બની શકાતું નથી. ૨૯૮. જો કે શુદ્ધાચારી સાધુ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ છે તે પણ કઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં ગૃહસ્થ '. સંયમમાં શ્રેષ્ઠ હોઈ શકે છે. ર૯. જે વ્યક્તિ મુંડિત (પ્રત્રજિત) બની અનગાર ધર્મ સ્વીકાર વામાં અસમર્થ હોય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત શ્રાવક ધર્મનો સ્વીકાર કરે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy