SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાર્ગ ૨૩૬. જે સમસ્ત ધર્મો (વસ્તુ-ગત સ્વભાવ પ્રતિ ગ્લાનિ નથી કરતે એને નિર્વિચિકિત્સા ગુણનો ધારક સમ્યગ્દષ્ટિ સમજવો જોઈએ. ૨૩૭. જે સમગ્ર ભાવ પ્રતિ વિમૂઢ નથી– જાગરૂક છે, નિર્કાન્ત છે, દષ્ટિ-સંપન્ન છે, એ અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જ છે. ૨૩૮. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, શાંતિ (ક્ષમા) અને મુક્તિ (નિર્લોભતા) દ્વારા આગળ વધવું જોઈએ—જીવનને વર્ધમાન બનાવવું જોઈએ. ૨૩૯ (અમૂઢદષ્ટિ અગર વિવેકી) કોઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તો શાસ્ત્રના અર્થને છુપાવે અને ન અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યફ વ્યાખ્યા કરે, ન માન કરે અને પોતાના વડપણનું પ્રદર્શન કરે, ન કેઈ વિદ્વાનને પરિહાસ કરે અને ન કોઈને આશીર્વાદ દે. ૨૪૦. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પોતાનામાં દુષ્ટપ્રયોગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે એને તત્કાળ જ - મન, વચન, અને કાયાથી ધીર (સમ્યગ્દષ્ટિ) સમેટી લે. ૨૪૧. તું મહાસાગર તે પાર કરી ગયો છે તો પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભું છું ? એને પાર કરવામાં શીવ્રતા કર. હે ગૌતમ ! ક્ષણ ભરને પણ પ્રમાદ ન કર. ૨૪ર. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે, પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બોલે છે તે ભવ્ય સમ્યગ્દષ્ટિનું વાત્સલ્ય બતાવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy