SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સન્માનનીય વિદ્યાપુરુષ શ્રી મધુસૂદનભાઈ ઢાંકી આના માટે સુયોગ્ય વ્યક્તિ છે. તેમને આ વિષયનો વ્યાપક અને ઊંડો અભ્યાસ છે. આવા વિષયના તેઓએ છૂટા-છવાયા ઘણાં લેખો પણ લખ્યા છે. તેમની પાસે એક સળંગસૂત્ર ઇતિહાસ મેળવી શકાય. દેશવાર દક્ષિણ ભારત | ઉત્તરભારતની પ્રાસાદ શૈલી, પ્રતિમા નિર્માણ શૈલી તેવી જ રીતે સૈકાવાર પણ પરિવર્તન પામી જૈન શિલ્પ-સ્થાપત્ય શૈલીનો સચિત્ર ઇતિહાસ મળી જાય. તેઓ છે ત્યાં સુધીમાં જ આવા કામ કરવા } કરાવવા કટિબદ્ધ બનવું જોઇએ. જો કે અમે આ કામ માટે મોડા છીએ છતાં હજી બાજી હાથમાં છે, તેમ ગણીને તૈયાર થવું જોઈએ. જૈન પરંપરાનો ઇતિહાસ લખાયો છે છપાયો છે પણ તેમાં જોઇએ તે એકેડેમિક સંપાદન પદ્ધતિ અખત્યાર થઈ નથી. કાચી સામગ્રી તરીકે આને ખપમાં લઈને અધિકૃત ઇતિહાસ આપી શકાય. એઓએ પણ મહેનત સારી જ કરી છે. વર્તમાનકાળે સાધુ સંસ્થા (૨.મૂ. જૈન) શાસન પ્રભાવનાના લેબલ નીચે જે પ્રભુમંદિર નિર્માણપ્રભુ પ્રતિમા નિર્માણ અને પૂજા - પૂજન મહોત્સવ રચનામાં વ્યસ્ત રહે છે, અને તેઓની સર્જનાત્મક શક્તિને પંચાંગ-આમંત્રણ પત્રિકાના ક્ષણજીવી કાર્યમાં જોતરે છે ત્યારે જે નવોદિત - આગંતુક સાધુ-સાધ્વીગણ છે તેમને તો એક દિશા આપવી આવશ્યક છે. તે કાર્યની યાદીમાં ઈતિહાસ લેખન અને તેની કાચી સામગ્રી લેખે જ્ઞાનભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતોની રચના પ્રશસ્તિ - લેખક પ્રશસ્તિ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે એથી એવા વિશાળ ફલકવાળા કાર્યક્ષેત્રને ઉઘાડી આપવું જોઇએ. આ કાર્ય કરવાથી પણ મોહનભાઈને યોગ્ય અંજલિ આપી શકાશે. આ કાર્ય આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજના હાથે થયું છે તે બહુ રાજી થવા જેવી વાત છે. તેઓને આ વિષયનો રસ છે અને આમ તો તેઓ આવા કાર્ય કરીને વિદ્યારસ પિપાસુઓને વધુને વધુ સહાયક થવાનું જ કાર્ય કરી રહ્યા છે. આપણે ઇચ્છીએ કે આ બીજરૂપ કાર્યની શૃંખલા તેઓના હાથે રચાતી રહે. આપણે ત્યાં આવા ક્ષેત્રમાં જે કાર્યો થયા છે તે એકાકી પુરુષના હાથે જ બહુધા થયા છે. ટીમવર્કની અપેક્ષા રાખીને રાહજોનારા રાહ જોતાં જ રહ્યા છે. અહીંની તાસીર છે. તો ભલે ! એમ જ થાઓ પણ કાર્ય થવું જોઇએ અને થાય છે તેથી મનને ટાઢક વળે છે એ જ ગન્તવ્ય છે. આવા ગ્રન્થનો ઉપયોગ કરીને સંપાદકના શ્રમને - શક્તિને - સમયને વધુને વધુ સાર્થક બનાવીએ એ જદેવકીનંદન, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ નારણપુરા વિસ્તાર, શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ અમદાવાદ-૧૩, વિ.સં. ૨૦૬ ૧ વસંતપંચમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy