SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ WE THણે ઘiળ્યાFિril શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ [જન્મ : ૬-૪-૧૮૮૫, લુણસર; અવસાન : ૨-૧૨-૧૯૪૫, રાજકોટ] એટલે જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ વિરલ આકારગ્રંથોના નિર્માતા, સમર્થ સર્વસંગ્રહાકાર અને સૂચિકાર જ નહીં, પણ “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ અને ‘જૈનયુગ' ને સંસ્થાનાં વાજિંત્ર ન રહેવા દેતાં એમાં સાહિત્યિક, ઐતિહાસિક, સામાજિક વગેરે પ્રકારની માતબર સામગ્રી પીરસનાર અત્યંત પરિશ્રમી પત્રકાર, લગભગ દશ ગ્રંથો થાય એટલાં, સામયિકોમાં દટાયેલાં વિચારાત્મક, ઐતિહાસિક, સાહિત્યિક વગેરે પ્રકારનાં લખાણોના તથા પ્રાચીન સાહિત્યકૃતિઓના લેખક-સંપાદક અને ખરા અર્થમાં એક વિદ્યાપુરુષ, અનેક જૈન સંસ્થાઓના વિનમ્ર કાર્યકર તરીકે જૈન સમાજની મૂલ્યવાન સેવા બજાવનાર અને એ સંસ્થાઓને નવા યુગનો પ્રાણ વહતી બનાવવાનો ઉજ્જવળ ઉદ્યમ કરનાર, જૈનેતર સામાજિક-સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ યથાશક્તિ યોગદાન કરનાર ને રાષ્ટ્રીય વિચારધારાના પુરસ્કર્તા અને આ ઉપરાંત, જીવનનિર્વાહ માટે વકીલાતના વ્યવસાયને સ્વીકારી, સમાજસેવા અને વિદ્યાસેવા કેવળ નિઃસ્પૃહ ભાવે કરવાનો સંકલ્પ ધરાવનાર, ગુણાનુરાગીગ સ્પષ્ટવક્તા, સત્યનિષ્ઠ, સરલહૃદયી, માનવપ્રેમી તથા સાદાઈભર્યું નીતિનિષ્ઠ જીવન જીવનાર એક અનેરું માનવવ્યક્તિત્વ. For Private & Personal Use Only www.jainelibrary.org sin Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy